ગુજરાત

gujarat

By

Published : Oct 23, 2020, 5:25 PM IST

ETV Bharat / city

રૂપાલમાં માતાજીની પલ્લી નહીં યોજાય: નીતિન પટેલ

અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો છે, ત્યારે આ જ સમય દરમિયાન નવરાત્રિના નોમની રાત્રે યોજાતો રૂપાલનો પલ્લીનો મેળો પણ રદ કરવામાં આવ્યો છે. જેને લઈને રૂપાલ મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે, રૂપાલમાં પલ્લીનો મેળો યોજાશે નહીં.

ETV BHARAT
રૂપાલમાં માતાજીની પલ્લી નહીં યોજાય

  • નાયબ મુખ્યપ્રધાન અરવલ્લીની મુલાકાતે
  • મુલાકાત દરમિયાન નીતિન પટેલે પલ્લીને લઇને આપ્યું નિવેદન
  • કોરોનાના કારણે પલ્લી યોજવામાં આવશે નહીં

બનાસકાંઠા : નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અંબાજીની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન તેમણે પલ્લી અંગે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે પલ્લીનો મેળો યોજવાનો સ્પષ્ટપણે ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રૂપાલ ગામમાં આસો સુદ 9ના દિવસે વરદાયની માતાજીની પલ્લી નીકળે છે. ગામના 27 ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. આ દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લીનો રથ બીજા નંબરના ચોકમાં આવે, તે પહેલા જ નાના ભૂલકાઓને રથની નજીક લાવવામાં આવે છે અને પલ્લી ઉપર ઘી ચડાવતા સ્વયંસેવકોનો બાળકો સોંપવામાં આવે છે. એક હાથે પકડી પકડીને સ્વયંસેવકો જ્યોત ઉપરથી બાળકોને ફેરવીને પોતાના માતા-પિતાને પરત આપે છે.

રૂપાલમાં માતાજીની પલ્લી નહીં યોજાય

પલ્લીનું મહત્વ

રૂપાલ ગામમાં કોઈપણ વ્યક્તિના ઘરે દીકરાનો જન્મ થાય ત્યારબાદ સવા મહિના બાદ દીકરાના પરિવારના કોઈપણ સભ્ય ઉપવાસ કરતા હોય છે. નવરાત્રિ દરમિયાન પહેલા 2 દિવસ નકોડા ઉપવાસ કરવામાં આવે છે, જ્યારે બાકીના 7 દિવસ માત્ર દૂધ અને પાણી ઉપર દિવસ પસાર કરવામાં આવે છે. આ ઉપવાસ કરનારો વ્યક્તિ 9 દિવસ દરમિયાન પોતાના કપડાને ઈસ્ત્રી પણ કરી શકતો નથી અને 9 દિવસ સુધી માતાજીની આરાધના અને પૂજા કરવી પડતી હોય છે. આ ઉપરાંત આ બાળકો જે વિસ્તારમાં રહેતા હોય તેજ ચોકમાં પલ્લીની જ્વાળાના દર્શન કરવા પડતા હોય છે.

પલ્લીના દર્શન બાદ કરવામાં આવે બાળકની બાબરી

પલ્લીના દર્શન સમયે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે, ત્યારે નાના બાળકો ભીડ જોઈને જ રડતા હોય છે. આમ છતાં આ બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જ્વાળા સુધી લઇ જવામાં આવે છે. નાના ભૂલકાઓને પલ્લીની જ્વાળા ઉપરથી શા માટે ફેરવવામાં આવે છે. આ પલ્લીના દર્શન કરાવ્યા બાદ જ બાળકોની બાબરી કરવામાં આવે છે.

જાણો શાસ્ત્રોમાં શું ઉલ્લેખ છે?

શાસ્ત્રોમાં એવો ઉલ્લેખ જોવા મળે છે કે, પાંડવોને વનવાસ દરમિયાન 12મું વર્ષ પુરૂ થવામાં થોડા દિવસો બાકી હતા, ત્યારે પાંડવો ધૌમ્ય ઋષીના આદેશથી દધિચી ઋષીના આશ્રમથી 6 કોશ દૂર રૌપ્ય ક્ષેત્રે બિરાજમાન વરદાયિની માતાજીના શરણે જઇ પૂજા કરી આશિર્વાદ મેળવ્યા હતા, ત્યારે માતાજીએ આપેલા વસ્ત્રો ધારણ કરી તેમના કહેવા મુજબ ખીજડાના ઝાડ ઉપર શસ્ત્રો સંતાડ્યા હતાં અને વિરાટનગરના જવાનો આદેશ કર્યો હતો. ત્યાં તમને કોઇ ઓળખી નહીં શકે અને હવે પછી ખેલાનારા મહાભારતના યુદ્ધમાં તમારો વિજય થશે, તેવા આશિર્વાદ આપ્યા હતાં. તે પછી યુદ્ધમાં વિજય મળ્યા બાદ આસો સુદ-9ના દિવસે શ્રીકૃષ્ણ, પાંડવો અને દ્રૌપદી ચતુરંગી સેના સાથે રૂપાલમાં આવ્યા હતાં. જ્યાં તેમણે સોનાની પલ્લી બનાવી તેના ઉપર 5 કુંડાની સ્થાપના કરી હતી. તે પછી પાંડવોએ દિપ પ્રગટાવી વિવિધ 4 દિશામાં પલ્લી યાત્રા કાઢી હતી અને દ્રૌપદીએ બનાવેલું નિવેદ માતાજીને ધરાવ્યા બાદ પાંડવોને ખવડાવ્યુ હતું. તે પછી પાંડવોએ આ સ્થળે પલ્લીની સ્થાપના કરી પંચ બલીયજ્ઞ કર્યો હતો. ત્યારથી રૂપાલમાં પરંપરાગત પલ્લી નિકળે છે.

પલ્લીમાં ઘીની નદીઓ

ભારતની સમૃદ્ધિ માટે એવું કહેવાતું કે, આ દેશમાં દૂધ-દહીંની નદીઓ વહેતી હતી. શિંગણાપુરમાં શનિદેવના મંદિરની બહાર આજે પણ તેલની નદી વહે છે! તેલની જેમ ઘીની નદી વહેતી જોવાનો લહાવો લેવો હોય તો ગાંધીનગર નજીકના રૂપાલ ગામે જવું પડે. નવરાત્રિ પર્વની નોમની રાત્રે દર વર્ષ યોજાતાં પલ્લી મહોત્સવમાં મા આદ્યશક્તિ વરદાયિની માતાની પલ્લી પર ચોખ્ખા ઘીનો અભિષેક કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details