ગુજરાત

gujarat

By

Published : Jun 8, 2021, 4:20 PM IST

ETV Bharat / city

ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ ઇ-નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ, આ લોકોને થશે ફાયદો

રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અને રોજગારી મેળવનારા મજૂરો માટે આજે મંગળવારે રાજ્ય સરકારે યુ.વિન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જેથી શ્રમિકો હવે ઓનલાઈન અરજી કરીને પોતાના નામની નોંધણી રાજ્ય સરકારમાં કરાવી શકશે.

ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ ઇ-નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ
ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ ઇ-નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ

  • રાજ્યમાં શ્રમિકો બનશે હવે ટેકનોલોજી સેવી
  • રાજ્ય સરકારે મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી
  • શ્રમિકોએ ઓનલાઈન નોંધણી માટે કરવી પડશે ઓનલાઈન અરજી
  • રાજ્યમાં કુલ 9.20 લાખ અસંગઠિત ક્ષેત્રના કામદારોની નોંધણી કરાઇ
    ઓનલાઇન નોંધણી માટેના પોર્ટલ ઇ-નિર્માણ અને મોબાઇલ એપ્લિકેશન લોન્ચ

ગાંધીનગર: રાજ્યમાં અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો અને રોજગારી મેળવનારા મજૂરો માટે આજે મંગળવારે રાજ્ય સરકારે યુ.વિન મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરી છે. જેથી શ્રમિકો હવે ઓનલાઈન અરજી કરીને પોતાના નામની નોંધણી રાજ્ય સરકારમાં કરાવી શકશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સ કરીને મોબાઈલ એપ્લિકેશનની જાહેરાત કરી હતી. જેમાં CM રૂપાણીએ જણાવ્યું હતું કે, શ્રમયોગીઓને પોતાનો રોજ એટલે કે કામનો દિવસ પાડીને, કામ છોડીને આવા યુ-વિન કાર્ડ અંગેની નોંધણી માટે સરકારી કચેરીએ જવું ન પડે તેથી ગુજરાતમાં આ નવતર અભિગમ અપનાવીને ઓનલાઇન પોર્ટલ પર તેમજ કોમન સર્વિસ સેન્ટર દ્વારા આવા અસંગઠિત શ્રમિકોની નોંધણી સરળ બનાવી છે.

આ પણ વાંચોઃ 5 લાખથી વધુ લોકોએ 'મેરા રાશન' એપ્લિકેશનનો લાભ લીધો

કેમ્પ યોજીને નોંધણી કરવામાં આવશે

CM રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અસંગઠિત ક્ષેત્રના કામદારોની હવે તેમના કાર્ય વિસ્તાર કે રહેઠાણના સ્થળે જ કેમ્પ યોજીને કોમન સર્વિસ સેન્ટર દ્વારા નોંધણી થશે. આવા કામદારોને તેમની ઓળખના આધારકાર્ડ, બેંક ખાતાની વિગતો, મોબાઇલ નંબર, રેશનકાર્ડ અથવા આવક પ્રમાણપત્ર જેવા જરૂરી પુરાવા અને દસ્તાવેજોના આધારે ચકાસણી કરીને સ્થળ પર જ ઓનલાઇન યુ-વીન કાર્ડ કોમન સર્વિસ સેન્ટર દ્વારા વિના મૂલ્યે આપવામાં આવશે. યુ-વિન કાર્ડ ધરાવનારા આ અસંગઠિત કામદારોને પણ અગાઉ લાભ મેળવતા આ ક્ષેત્રના કામદારો ને મળે છે તેમ જ મા અમૃતમ, અકસ્માત વીમા યોજના, શ્રમિક અન્નપૂર્ણા યોજના જેવી યોજનાઓના લાભ મળી શકશે.

ભાવિ યોજનામાં સરળતા રહેશે

અસંગઠિત કામદારોનો ડેટા બેઇઝ આ નોંધણીથી સરળતા એ ઉપલબ્ધ થવાથી ભવિષ્યમાં તેમને લગતી ભાવિ યોજનાઓ બનાવવામાં પણ સુગમતા રહેશે. ગુજરાત સરકાર દ્વારા કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની યોજનાનો લાભ લેવા માટે પણ હવે CM રૂપાણીએ નવી દિશા ખોલી છે.

આ પણ વાંચોઃ ઓનલાઈન એપ્લિકેશન પદ્ધતિથી RTOની કામગીરી બની સરળ અને પારદર્શી

પહેલાં ફક્ત જિલ્લા કચેરીએ થતી હતી નોંધણી

મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કર્યા બાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સંબોધનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં અસંગઠિત કામદારોની નોંધણી અત્યાર સુધી આ બોર્ડની 33 જિલ્લા કચેરીએ થતી નોંધણી હવે રાજ્યના શહેરો અને ગામડાઓમાં પથરાયેલા 21,290 જેટલા કોમન સર્વિસ સેન્ટર પર ઘર આંગણે થઈ શકશે. આવા સર્વિસ સેન્ટર દ્વારા શ્રમયોગીઓને સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. ઇ નિર્માણ પોર્ટલનું જોડાણ CM ડેશ બોર્ડ સાથે પણ કરવામાં આવેલું છે.

ABOUT THE AUTHOR

...view details