ગુજરાત

gujarat

By

Published : Oct 28, 2021, 9:30 PM IST

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 23 કેસો, એક પણ મૃત્યુ નહીં

છેલ્લા 24 કલાકની અંદર કોરોના પોઝિટિવ કેસો 28 ઑકટોબરના રોજ 25થી પણ પણ ઓછા કેસો નોંધાયા છે. જ્યારે આજે 12 દર્દીઓએ કોરોનાને માત આપી હતી અને ઘરે પરત ફર્યા છે. છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું નથી. જો કે છેલ્લા કેટલાક સમયથી મૃત્યુ દર ઘટ્યો છે. રિકવરી રેટ 98.76 ટકા સુધી પહોંચ્યો છે.

રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 23 કેસો
રાજ્યમાં 24 કલાકની અંદર કોરોનાના 23 કેસો

  • 28 ઑકટોબરે 12 દર્દીઓને રજા અપાઇ
  • રસીકરણ 3.10 લાખથી વધુ થયું
  • રાજ્યમાં 184 એક્ટિવ કેસો જ્યારે 5 દર્દી વેન્ટિલેટર પર

ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા 28 ઑક્ટોબરના રોજ કોરોનાની યાદી બહાર પાડવામાં આવી હતી જે મુજબ છેલ્લા 24 કલાકમાં 23 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના પોઝિટિવ કેસોની આ સ્થિતિ ઑકટોબર માસમાં પણ અગાઉના મહિના જેટલી રહી હતી. કોર્પોરેશન વિસ્તારમાં પણ કોરોના કેસો ઘટ્યા છે. અમદાવાદમાં 4 કેસો જ્યારે સુરત કોર્પોરેશનમાં 4, રાજકોટ કોર્પોરેશનમાં 2 સુરતમાં તો વડોદરામાં 7 એમ સિંગલ ડિઝીટમાં કેસ નોંધાયા છે. જ્યારે વલસાડ જિલ્લામાંમાં 2, આણંદ જિલ્લામાં 1 કેસ નોંધાયો છે.

કોરોનાની વર્તમાન સ્થિતિ
કોરોનાની વર્તમાન પરિસ્થિતિ જોવા જઈએ તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 184 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 179 કેસો સ્ટેબલ છે જ્યારે વેન્ટિલેટર 5 દર્દીઓ છે. અત્યાર સુધી સરકારની આ યાદી મુજબ 10,088 દર્દીના સારવાર દરમિયાન દુઃખદ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,16,232 દર્દીઓએ કોરોનાને માત આપી છે.

આજે 3,10,581 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું
રાજ્ય સરકારની યાદી મુજબ આજે 25 ઑકટોબરના રોજ 3,10,581 વ્યક્તિનું રસીકરણ થયું હતું. રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવા તરફ રાજ્ય સરકારનો પ્રયાસ છે ત્યારે આજે ત્રણ લાખથી વધુ રસીકરણ થયું છે. બીજો ડોઝ લેનાર લોકોની સંખ્યા વધી રહી છે કેમ કે, અત્યાર સુધી રાજ્યમાં પહેલા ડોઝ ટાર્ગેટ પ્રમાણેથી વધી ગયા છે ત્યારે બીજા ડોઝ લેનારની સંખ્યા પણ વધી રહી છે.

ABOUT THE AUTHOR

...view details