ગુજરાત

gujarat

By

Published : Jul 9, 2022, 8:43 AM IST

ETV Bharat / city

રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ સતત ચિંતા તરફ, જાણો આજે કેટલા નોંધાયા કેસ

ગુજરાતમાં કોરોના મહામારીની(Gujarat Corona Update) ત્રીજી લહેર પછીની શાંતિનો સમય(Corona Positive Cases) હવે પૂરો થવા જઇ રહ્યો છે. એમ છેલ્લાં કેટલાક દિવસોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ સપ્તાહમાં નવા પોઝિટિવ કેસોનો આંકડો 500ની ઉપર નોંધાઇ રહ્યો હતો, ત્યારે આજે છેલ્લા 24 કલાકનો આંકડો 636 કેસો આવ્યા છે. જૂઓ અહેવાલ.

રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ સતત ચિંતા તરફ, જાણો આજે કેટલા નોંધાયા કેસ
રાજ્યમાં કોરોનાના કેસની સ્થિતિ સતત ચિંતા તરફ, જાણો આજે કેટલા નોંધાયા કેસ

ગાંધીનગર:રાજ્યમાં કોરોના કેસમાં(Corona Positive Cases) હવે ધીમે ધીમે રોજ 20થી 30 કેસનો વધારો થઇ રહ્યો છે, ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 636 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. આમ ગુજરાતમાં હવે કુલ એક્ટિવ કેસ 3893 થયા છે, પરંતુ વેન્ટિલેટર ઉપર 01 દર્દીને રાખવામાં આવ્યા (India Corona Update) છે, જ્યારે 3888 દર્દીઓ અત્યારે સ્ટેબલ (Corona Virus Spreading Speed) છે. જ્યારે અત્યારસુધીમાં 10,948 મૃત્યુ નોંધાયા છે, આજે 622 દર્દીઓએ રજા આપવામાં આવી હતી. ઉપરાંત આજે એક પણ દર્દીનુ મૃત્યુ નોંધાયું નથી.

ક્યાં કોર્પોરેશનમાં કેટલા કેસ નોંધાયા -અમદાવાદ 212, સુરત કોર્પોરેશન 86, ગાંધીનગર કોર્પોરેશન 30, બરોડા કોર્પોરેશન 57, જામનગર કોર્પોરેશન 07, રાજકોટ કોર્પોરેશન 07 અને ભાવનગર કોર્પોરેશન 26 કોરોનાના કેસ નોંધાયા છે.

જિલ્લાની વિગતો -સુરત 38, ગાંધીનગર 28, વલસાડ 16, કચ્છ 13, નવસારી 13, પાટણ 11, રાજકોટ 11, દ્વારકા 08, અમરેલી 07, મોરબી 07, બરોડા 07, અમદાવાદ 06, આણંદ 05, સાબરકાંઠા 05, સુરેન્દ્રનગર 05, ભાવનગર 04, બનાસકાંઠા 03, અરવલ્લી 02, જામનગર 02, બોટાદ 01, મહીસાગર 01, મહેસાણા 01 અને તાપી 01 કોરોનાના કેસ નોંધાયા છે.

આ પણ વાંચો:Corona Update in Gujarat : નવા કેસોની રોકેટગતિ, અમદાવાદમાં 229 પોઝિટિવ કેસ સહિત જાણો રાજ્યની સ્થિતિ

હોસ્પિટલ દર્દીની સંખ્યા ઓછી - રાજ્યમાં જે રીતે પોતાનો સંક્રમણ સતત વધી રહ્યું છે અને દિવસે દિવસે કે પોતાના કેસમાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેષ પટેલે જણાવ્યું હતું કે જેથી તે પોતાના કેસમાં વધારો થઈ રહ્યો છે તેની સામે બીજી તરફ જોવા જઈએ તો હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે આમ અત્યારે જે કોના નો નવો વાયરસ ફેલાઈ રહ્યો છે તે ફક્ત હળવા લક્ષણ વાળો જ છે તેમાં હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડતી નથી અને ત્રણ દિવસમાં જ સારું થઈ જાય છે.

આ પણ વાંચો:Gujarat Corona Cases: રાજ્યમાં કોરોના બ્લાસ્ટ, જાણો ક્યાં વધી રહ્યાં છે મોટા પ્રમાણમાં કેસ

આજે 68,073 રસીકરણ થયું -કોરોના સામે રસીકરણ પણ બહુ જ મહત્વની ભૂમિકા ભજવી છે ત્યારે આજે 08 જુલાઇના રોજ સમગ્ર રાજ્યમાં કુલ 68,073 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રિકોશન ડોઝમાં 39,567 12 થી 14 વર્ષના પ્રથમ ડોઝમાં 6108 બીજા ડોઝમાં 4385 સહિત સમગ્ર રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 11,18,39,154 નાગરિકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details