- અમદાવાદ મામલતદાર કચેરીના તમામ અધિકારીઓની બદલી
- અનેક વર્ષોથી અટકેલા કામો થશે પૂર્ણ : મહેસૂલ પ્રધાન
- રાજેન્દ્ર ત્રિવેદીએ કરી મામલતદાર કચેરીની સરપ્રાઇઝ વિઝિટ
ગાંધીનગર : દહેગામ તાલુકામાં એક અરજદારે રાજેન્દ્ર ત્રિવેદી(State Revenue Minister Rajendra Trivedi)ને કામ બાબતે ફરિયાદ કરી હતી ત્યારે આજે અચાનક જ ત્રિવેદી ગાંધીનગરથી દહેગામ ખાતે પહોંચીને મામલતદાર કચેરીની સરપ્રાઇઝ વિઝિટ(Surprise visit to Dahegam Mamlatdar's office) કરી હતી. આ વિઝિટ આશરે અડધો કલાક સુધી ચાલી હતી અને તમામ કર્મચારીઓ સાથે વાતચીત પણ કરી હતી. આ ઉપરાંત કચેરીમાં જે લોકો કામ અર્થે આવી રહ્યા હતા તેમની સાથે પણ ચર્ચા કરી હતી.
અમદાવાદ મામલતદાર કચેરીના તમામ અધિકારીઓની બદલી
ગત અઠવાડિયે રાજેન્દ્ર ત્રિવેદી સમક્ષ અમદાવાદ મામલતદાર કચેરીમાં ભ્રષ્ટાચાર બાબતે ફરિયાદ પહોંચી હતી અને રાજેન્દ્ર ત્રિવેદીએ હાઈકોર્ટના વકીલની મદદથી સ્ટ્રિંગ ઓપરેશન કરાવીને ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. આજે અમદાવાદ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તમામ અધિકારીઓને ઉધડા લીધા હતાં અને તે જ સમયે બદલી કરવાની વાત ઉચ્ચારી હતી જેને આજે રાજ્ય સરકાર દ્વારા 10 અધિકારીઓની બદલી કરી દેવામાં આવી છે. મુખ્ય ભ્રષ્ટાચારી અધિકારી એવા કુંજલ શાહને દ્વારકામાં મધ્યાહન ભોજનમાં નિમણૂક આપવામાં આવી છે.