- 5 દિવસથી ઉપવાસ પર બેઠા
- ગાંધીનગર સેક્ટર 7 ખાતે ઉપવાસ પર બેઠા
- જ્યા સુધી આ માગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ઉપવાસ ચાલુ રાખશે
ગાંધીનગર: ગૌમાતાને કતલખાને મોકલવામાં આવી હોય તેવી અનેક વાર ઘટના સામે આવી છે. ત્યારે ગૌમાતાના રક્ષણ માટે મૂળ બનાસકાંઠાના આચાર્ય હરિદાસ બાપુ ગાંધીનગરમાં ઉપવાસ પર બેઠા છે તેમને ગૌ માતાને રાષ્ટ્રીય કામધેનુ (national kamdhenu) જાહેર કરવાની માગ કરી છે. તેમની હઠ એવી છે કે જ્યાં સુધી આ માગ પુરી નહીં થાય ત્યાં સુધી તેઓ ઉપવાસ પર રહેશે.
જે લોકો ગૌહત્યા કરે છે કે ગાયને મારે કે કાપે છે તેમને ફાંસીની સજા આપવી જોઈએ
આચાર્ય હરીદાર બાપુએ કહ્યું, ઉપવાસ પર બેસવાની મારી એક જ માગ છે કે ગૌ માતાને રાષ્ટ્રીય કામધેનુ જાહેર કરવામાં આવે જ્યાં સુધી આ મારી માગ પુરી નહીં થાય ત્યાં સુધી હું ઉપવાસ કરીશ ગમે તેટલા દિવસ થાય ત્યાં સુધી હું ઉપવાસ કરીશ. જે લોકો ગૌ હત્યા કરે છે કે ગાય માતાને મારીને કાપે છે તે તમામને ફાંસી થવી જોઈએ. ગૌ હત્યાના રક્ષણ માટે તેમજ ખેડૂતોને આર્થિક સહાય આપવી જેના કારણે જેઓ ગાયનો સારી રીતે રક્ષણ કરી શકે તેમજ ગાયની સારસંભાળ રાખી શકે. તે પ્રકારની પણ માગ પણ તેમને સરકાર સમક્ષ મૂકી છે. આ પ્રકારની માંગણી સાથે તેમને ઉપવાસ ચાલુ રાખ્યા છે.