ગુજરાત

gujarat

By

Published : Oct 31, 2020, 3:32 PM IST

ETV Bharat / city

31 ઓક્ટોબરે આપ દ્વારા 'બળાત્કાર વિરોધ દિન' નિમિતે વિરોધ પ્રદર્શન

31 ઓક્ટોબરે ભાજપ કોંગ્રેસ સરદારને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે ત્યારે આમ આદમી પાર્ટીએ બળાત્કાર વિરોધ દિન નિમિત્તે રેલી યોજી કલેકટર કચેરીએ પહોંચ્યાં હતાં. જ્યાં દરેકની અટકાયત કરી લેવામાં આવી હતી. ભાવનગર શહેરમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે સરકારી કચેરીમાં રજાઓ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા ધરણાનોં કાર્યક્રમ યોજવાની કોશિશ કરી હતી પણ મંજૂરી નહીં મળવા છતાં રેલી યોજી હતી.

31 ઓક્ટોબરે આપ દ્વારા બળાત્કાર વિરોધ દિન નિમિતે વિરોધ
31 ઓક્ટોબરે આપ દ્વારા બળાત્કાર વિરોધ દિન નિમિતે વિરોધ

  • બળાત્કાર વિરોધ દિન નિમિત્તે આપનો વિરોધ
  • વિરોધ રેલી યોજી કલેક્ટર કચેરીએ પહોંચ્યાં
  • તમામની અટકાયત કરાઈ
  • આમ આદમી પાર્ટીનો આજનો કાર્યક્રમ શા માટે?

    ભાવનગરઃ ભાવનગર આમ આદમી પાર્ટી ગુજરાતમાં ધીરે ધીરે ઉભરવાની કોશિશ કરી રહી છે ત્યારે ભાવનગર શહેરમાં આજના દિવસે સરદાર જયંતિ હોવા છતાં કાર્યક્રમ માટે મંજૂરી માગી હતી પણ મંજૂરી મળી ન હતી. આમ આદમી પાર્ટીએ આજે 31 ઓક્ટોબરે એટલે બળાત્કાર વિરોધ દિવસ પણ છે. તેથી આજે ધરણા કરી કાર્યક્રમ યોજ્યો હતો. પણ મંજૂરી નહી મળતા માત્ર રેલી સ્વરૂપે કલેકટર કચેરીએ પહોંચ્યાં હતાં જ્યાં પોલીસ પહેલેથી હોવાથી દરેકની અટકાયત કરી લેવામાં આવી હતી.
    આપ કાર્યકરોએ મંજૂરી વગર રેલી કરતાં તમામની અટકાયત કરાઈ

ABOUT THE AUTHOR

...view details