ગુજરાત

gujarat

હું ભાવનગર મહાનગરપાલિકાનો વોર્ડ નં. 10 કાળિયાબીડ અને આ છે મારી વાત

By

Published : Feb 11, 2021, 4:13 PM IST

હું ભાવનગર મહાનગરપાલિકાનો વોર્ડ નં. 10 કાળિયાબીડ છું અને મારા વોર્ડમાં પ્રાથમિક જરૂરિયાત એટલે પાણી, ગટર અને રસ્તાની સમસ્યા છે. જો કે મોટાભાગના કામો થયા છે, કંસારા પર પુલ બન્યા છે પણ સૌથી મોટી સમસ્યા કંસારાના કાંઠે આવેલા રહેણાંક વિસ્તારોમાં દુર્ગંધની પરેશાનીઓની છે. શુદ્ધિકરણના નામે પ્રોજેક્ટ કાગળ પર થયા પણ હજુ જમીન પર ઉતર્યા નથી.

ભાવનગર
ભાવનગર

  • હું ભાવનગર મહાનગરપાલિકાનો વોર્ડ નં.- 10 કાળિયાબીડ
  • મારા વોર્ડમાં છે પાણી, ગટર અને રસ્તાની સમસ્યા
  • મતદારોનો મિજાજ છે ભાજપ તરફી
    ભાવનગર

ભાવનગર: ભાવનગર મહાનગરપાલિકાની સ્થાપના 1982મા થઈ અને મારૂ સર્જન થયું કાળિયાબીડ વોર્ડ તરીકે. હા, હું 1982થી ભાવનગર શહેરનો ભાગ છું. મારો વોર્ડ ક્રમાંક હાલમાં 10 છે. બે વખત સીમાંકન થતા મારો ક્રમાંક હવે 10 જ રહ્યો છે. મારા વિસ્તારમાં પ્રવેશવા રાજકોટ રોડથી આરટીઓ સર્કલ થઈને જવેલ્સ સર્કલ મારફતે કાળિયાબીડની ટાંકીથી પ્રવેશ કરી શકાય છે.

ભાવનગર

હું કાળિયાબીડ વોર્ડ અને મારા મતદારો કેટલા તેમજ કેવો મિજાજ એમનો

ભાવનગરમાં હું કાળિયાબીડ વોર્ડમાં 21,441 પુરુષો છે અને સ્ત્રીઓ 20,068 છે. આમ, કુલ મળીને 41,509 જેટલા મતદારો મારા વોર્ડમાં આવેલા છે. મારા વોર્ડમાં મતદારોનો મિજાજ ભાજપની વિચારધારાવાળો છે. મારા વિસ્તારમાં મધ્યમવર્ગીય લોકો હોવા છતાં મારા મતદારોએ મોદી મેજીક વચ્ચે 4માંથી 4 બેઠક ભાજપને 2015માં આપી ભગવો લહેરાવી દીધો હતો. અલગ અલગ પ્રકારના વ્યવસાય કરતા બુદ્ધિજીવી લોકો મારા વિસ્તારમાં વસવાટ કરે છે.

ભાવનગર

મારા વોર્ડમાં ક્યાં વિસ્તાર જાણીતા છે?

- પાણીની ટાંકીનું સર્કલ
- વિરાણી સર્કલ
- લીલા સર્કલ
- લખુભા હોલ
- સરદાર પટેલ શાળા
- હિલપાર્ક
- ટોપથ્રિની પશ્ચિમ દિશા

ભાવનગર
મારા વોર્ડમાં શું સમસ્યાઓ છે પ્રાથમિક ધોરણે?હું કાળિયાબીડ વોર્ડ અને મારા વોર્ડમાં વસે છે નોકરીયાત તેમજ વ્યવસાયકારો. મારા વિસ્તારમાં શાળાઓ વધુ આવેલી છે, મધ્યમવર્ગીય લોકો વસતા હોવાથી બુદ્ધિજીવી વર્ગ છે. સમસ્યામાં જોઈએ તો કચરો અને બ્લોકની રસ્તાની એક બાજુ અછત જોવા મળે છે કેટલાક વિસ્તારોમાં રસ્તા અંતરિયાળમાં બાકી છે. પાણી, ગટર જેવી પણ કયારેક સમસ્યાઓ જોવા મળે છે આમ તો મારા વિસ્તારમાં મોટી કોઈ સમસ્યા નથી પણ પ્રાથમિક જરૂરિયાતની ગટર, પાણી, બ્લોક અને રસ્તા જેવી સમસ્યાઓ રહે છે. મારા વોર્ડમાંથી નીકળતો કંસારો એટલે નાળું જેના કાંઠે વસતા લોકોને ગંદકી અને દુર્ગંધથી રોગચાળાની સમસ્યા રહે છે કંસારાને શુદ્ધ કરવા માટે ફરી પ્રોજેક્ટનું નામ ફેરવીને ધારાસભ્યએ શરૂ કર્યું છે, વાત છેલ્લા 25 વર્ષથી શુદ્ધિકરણની થઈ રહી છે, પણ કામ થતું નથી
ભાવનગર
મારા વોર્ડના નગરસેવકોએ શું વિકાસના કામો કર્યાભાજપના ચાર નગરસેવકો હોવા છતાં સમસ્યા પ્રાથમિક સામે આવી રહી છે. નગરસેવકોએ બ્લોક,રસ્તા વગેરે નખાવ્યા છે ડ્રેનેજની અને પાણીની લાઈનો રિવાઇઝડ કરાવી છે તો કંસારા પર પુલો પણ બનાવડાવ્યા છે. અંતરિયાળ સોસાયટીઓમાં રસ્તાઓ,બ્લોક વગેરેના કામ કરવામાં આવ્યા છે મોટા કામોમાં પુલ બનવા સિવાય કશું નથી.

ABOUT THE AUTHOR

...view details