ભાવનગર: ગુજરાત સરકારે ભગવદ્ ગીતાના (bhagavad gita gujarat government) પઠનની જાહેરાત બાદ ભાવનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ (bhavnagar municipal corporation education committee)એ શિક્ષકોને તૈયાર કરવા માટે કમર કસી લીધી છે. ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ તેમની 55 શાળાના (Schools In Bhavnagar) કુલ 599 જેટલા શિક્ષકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન તજજ્ઞો દ્વારા આપવા માટે સેમિનાર (Bhagavad Gita Seminar Bhavnagar)નું આયોજન કર્યું છે. આગામી એપ્રિલમાં શિક્ષકો વિદ્યાર્થી બનીને માર્ગદર્શન મેળવશે.
26 એપ્રિલ 2022ના રોજ પ્રથમ સેમિનારનું આયોજન- એપ્રિલ મહિનામાં શિક્ષકોને તાલીમ આપવા સેમિનારો નક્કી થઈ ચૂક્યા છે. જેમાં શિક્ષકો વિદ્યાર્થી બનીને ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવશે. ગુજરાત સરકારે ભગવદ્ ગીતાનું જ્ઞાન (Knowledge of the Bhagavad Gita) બાળકોમાં આપવા માટે હવે જાહેરાત કર્યા બાદ શિક્ષણ વિભાગ (Department of Education Gujarat) સક્રિય બની ગયું છે. મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના શાસનાધિકારી યોગેશ ભટ્ટે જણાવ્યું હતું કે, 2 વિભાગમાં 26 એપ્રિલ 2022ના રોજ પ્રથમ સેમિનારનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો:Bhagavad Gita in Textbook : 'આપ' ના પાઠ્ય પુસ્કતમાં ભગવદ્ ગીતાના આવકાર સાથે પ્રહાર