ગુજરાત

gujarat

By

Published : Oct 21, 2021, 3:34 PM IST

ETV Bharat / city

મારા જેવા સામાન્ય અને નાના કાર્યકર્તાને મેયર પદ મળ્યું એ બદલ આભાર: હિતેશ મકવાણા

5 ઓક્ટોબરે કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે. ત્યારથી હિતેશ મકવાણા (Hitesh Makwana)નું નામ ચર્ચામાં હતું પરંતુ ભરત દીક્ષિત પણ રેસમાં હતા. ત્યારે એવું પણ માનવામાં આવતું હતું કે ભાજપ બંનેના નામ આગળ કરી ક્યાંક મહિલા મેયર પણ નિયુક્તિ કરી શકે છે પરંતુ આખરે જેમનું નામ ચર્ચામાં હતું તે વોર્ડ નંબર 8ના ઉમેદવાર હિતેશ મકવાણાનું નામ જ મેયર તરીકે નિયુક્ત થયું છે. ત્યારે તેમને મેયર બન્યા બાદ ETVBHART સાથે ખાસ વાતચીત કરી હતી.

hitesh_makwana_gandhinagar
hitesh_makwana_gandhinagar

  • 18 નવા સમાવાયેલ ગામોને વિકાસ તરફ લઈ જવા અગ્રિમતા અપાશે
  • રોડ, પાણી, ગટર વ્યવસ્થા, શિક્ષણ જેવા કામોને અગ્રીમતા અપાશે
  • હું અને મારી ટીમ લોકો માટે સતત કાર્ય કરીશું

ગાંધીનગર : મેયર (Mayor) માટે આગામી સમયમાં ઘણા એવા ચેલેન્જીંગ કામો છે કે જે 2.5 વર્ષમાં પૂરા કરવાના રહેશે. ખાસ કરીને ગાંધીનગર (Gandhinagar) વિસ્તારમાં 18 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિકાસની ગતિ તેજ કરવી પડશે આ ઉપરાંત આ પહેલાના પૂર્વ મેયર હતા કે જેમના પર અનેક ભ્રષ્ટાચાર (corruption)ના આરોપો લાગેલા હતા. તે તમામ બાબતોને ધ્યાનમાં રાખી મેયર માટે કેટલીક ચેલેન્જીંગ પણ રહેશે. જેને લઇને હિતેશ મકવાણા(Hitesh Makwana)એ ખાસ વાતચીત કરી હતી.

interview_hitesh_makwana_gandhinagar
પ્રશ્ન : મેયર તરીકેની આપની નિયુક્તિ કરવામાં આવી છે, શું કહેશો આ વિશે?જવાબ: ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહપ્રધાન અમિતભાઈ શાહ, સી.આર.પાટીલ સાહેબ તેમજ તમામ ભાજપ સાથે જોડાયેલા અગ્રણીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે આ કાર્યભાર સોંપ્યો છે. મારા જેવા સામાન્ય અને નાના કાર્યકર્તાને મેયર પદ મળ્યું છે. તે બદલ હું પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો આભાર માનું છું.
hitesh_makwana_gandhinagar

આ પણ વાંચો:Exclusive Interview: સોશિયલ મીડિયા સ્ટાર મૈથિલી ઠાકુરની ETV ભારત સાથેની ખાસ વાતચીત

પ્રશ્ન : તમારા માટે મેયર પદ કેટલું ચેલેન્જીગ રહેશે કેમકે આ પહેલા જે મેયર હતા તેમના પર ભ્રષ્ટાચારના આરોપો હતા, શું કહેશો?
જવાબ :આ પહેલાં આ જે મેયર હતા તેમને પણ ઘણા કામો કર્યા છે ખાસ કરીને મારા માટે જે નવા 18 જેટલા ગામો ગાંધીનગરના 1 થી 30 સેક્ટર સિવાય કોર્પોરેશન વિસ્તારમાં એડ કરવામાં આવ્યા છે. જ્યાં વિકાસના કામોને પહેલા મહત્વ આપવામાં આવશે. આ વિસ્તાર ફૂલે ફાલે તેને લઈને કામગીરી અગ્રીમતાના ધોરણે કરીશું.

આ પણ વાંચો:સિકંદરાબાદમાં કિંજલ દવે સાથે Etv Bharat ની વાતચીત
પ્રશ્ન : રાજકીય ક્ષેત્રે જોડાયા બાદ અગ્રીમતાના કામો ને વધુ મહત્વ આપવામાં આવે છે, આપ કયા કામોને પહેલા અગ્રીમતા આપશો?
જવાબ : મેયર તરીકે અને મેયરને લગતા જે પણ કંઈ કામ છે આ ઉપરાંત મારી સામે આવેલા અને લોકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખી દરેક પ્રકારના કામો રોડ રસ્તા ગટર પાણી, શિક્ષણ સહિતના તમામ કામોને મહત્વ આપીશ. આ ઉપરાંત પણ જે કંઈક ખૂટતું કરતું હશે તેને પહેલા કરવામાં આવશે. કામો ઝડપી અને જલ્દી સોલ્વ થાય તેના માટે હું અને મારી ટીમ સતત કાર્ય કરીશું.

ABOUT THE AUTHOR

...view details