ગુજરાત

gujarat

By

Published : Mar 10, 2021, 3:13 PM IST

ETV Bharat / city

શાળાઓને કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા SOP જાહેર

રાજ્યમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે તો બીજી તરફ સરકારે પણ આવા વધતા કેસ વચ્ચે પણ શાળાઓમાં શૈક્ષણિક વર્ગો શરૂ કરી દીધા છે. જોકે, હાલમાં તો વિદ્યાર્થીઓ પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. આ સમગ્ર વાતને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે કોરોના ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલ થાય તે માટે એક SOP જાહેર કરી છે.

શાળાઓને કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા SOP જાહેર
શાળાઓને કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા SOP જાહેર

  • રાજ્યમાં કોરોનાના વધતા કેસ વચ્ચે શાળાઓમાં શૈક્ષણિક વર્ગ થયા શરૂ
  • સરકારે શાળાઓમાં કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન માટે જાહેર કરી SOP
  • શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ SOP અંગે આપી વિસ્તૃત માહિતી

અમદાવાદઃ રાજ્યમાં કોરોના સંક્રમણમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે, જેને લઈને સરકાર પણ કડક પગલાં ઉઠાવી રહી છે તો આ તરફ ધીમે ધીમે શિક્ષણ વિભાગ દ્વારા શૈક્ષણિક વર્ગો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે વિદ્યાર્થીઓમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે, જેને લઈને શિક્ષણ વિભાગે SOP જાહેર કરી છે.

શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ SOP અંગે આપી વિસ્તૃત માહિતી

આ પણ વાંચોઃઅંબાજીમાં બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી શાળામાં ફાયર સેફટીનો અભાવ

કેટલીક શાળાઓને અમુક સમય બંધ કરવા આદેશ

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી SOP અંગે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ કોરોનાના કેસને ઘટાડવા સતત પ્રયત્ન કરી રહ્યું છે. જોકે, શાળાઓમાં પણ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે સરકાર કડક પગલાં ઉઠાવી રહી છે. વિદ્યાર્થીઓમાં સંક્રમણ ફેલાતા કેટલીક શાળાઓને તો અમુક સમય માટે બંધ કરવાનો પણ આદેશ આપી દેવાયો છે.

આ પણ વાંચોઃમહુવાની જે પી હાઇસ્કૂલમાં થઇ 1.5 લાખની ચોરી

ABOUT THE AUTHOR

...view details