ગુજરાત

gujarat

શ્રાવણ માસમાં આવતી પવિત્રા એકાદશી અને બારસનું ખૂબ છે મહત્વ

By

Published : Aug 18, 2021, 3:04 PM IST

પવિત્ર શ્રાવણ માસમાં અનેક વ્રતો અને તહેવારો આવે છે. જે દરેકનો અલગ મહિમા છે. એવું જ એક વ્રત એટલે પવિત્રા એકાદશી જે શ્રાવણ સુદ અગિયારસના રોજ આવે છે. પુરાણ અને ગ્રંથોમાં તેનો મહિમા પ્રતિપાદિત થયેલો છે. આ દિવસે સંતાન પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુ તેમજ શિવને પવિત્રા અર્પણ કરવામાં આવે છે.

શ્રાવણ માસમાં આવતી પવિત્રા એકાદશી અને બારસનું ખૂબ છે મહત્વ
શ્રાવણ માસમાં આવતી પવિત્રા એકાદશી અને બારસનું ખૂબ છે મહત્વ

● શ્રાવણ સુદ અગિયારસે આવે છે પવિત્રા એકાદશી

● સંતાન પ્રાપ્તિ માટે ઈશ્વરને પવિત્રા અર્પણ કરવાનું મહત્વ

● વિષ્ણુ અને શિવને અર્પણ કરવી પવિત્રા

● પવિત્રા એકાદશીની કથા

અમદાવાદઃ જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલ લાઠિયાએ ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, સંતાન પ્રાપ્તિ માટે પવિત્ર એકાદશીનો મહિમા પુરાણોમાં વર્ણવેલ છે. જેમાં એક સવિનયી અને ધાર્મિક વૃત્તિના રાજાને સંતાન ન હોવાથી દંપતિ દુઃખી રહેતું. એજ ઋષિએ રાજાને શ્રાવણ સુદ અગિયારસના દિવસે શુદ્ધ અને પવિત્ર આચરણ સાથે ધાર્મિક વિધાન અનુસાર ભગવાન વિષ્ણુનું પૂજન કરીને તેમને પવિત્રા અર્પણ કરવા કહ્યું. તે મુજબ રાજાએ અગિયારસનું વ્રત કર્યું અને ભગવાન વિષ્ણુની પૂજન કરી પવિત્રા અર્પણ કરી. જેના ફળ સ્વરૂપે રાજાને સંતાન પ્રાપ્તિ થઇ અને તેઓ ભગવાન વિષ્ણુના પરમ ભક્ત બન્યાં.

પવિત્રા સુવર્ણ, રજત, તાંબા અને સુતરની હોઈ શકે છે
વૈષ્ણવ સંપ્રદાયમાં પવિત્રા એકાદશીવૈષ્ણવ સંપ્રદાયમાં આ દિવસે ઠાકોરજીને પવિત્રા અર્પણ કરવામાં આવે છે. તેમજ બારસની તિથિએ મહાપ્રભુજી અને ગુંસાઈજીને પવિત્રા અર્પણ કરાય છે. આ ઉપરાંત જો કોઇ કારણોસર શ્રાવણ સુદ અગિયારસના દિવસે પવિત્રા અર્પણ કરવાની રહી ગઈ હોય તો શ્રાવણની પાંચમ અને પૂનમના દિવસે પણ પવિત્રા અર્પણ કરાય છે.
પુરાણ અને ગ્રંથોમાં શ્રાવણ સુદ અગિયારસનો મહિમા પ્રતિપાદિત થયેલો છે
પવિત્રા એકાદશી પર નારદ મુનિનું વચનનારદ મુનિના વચન મુજબ કોઇપણ ભક્ત શ્રાવણ માસમાં પવિત્રા અર્પણ ન કરી શકે તો કારતક માસમાં શુક્ર અસ્ત હોય તો પણ પવિત્રા અર્પણ કરી શકાય છે. પવિત્રા સુવર્ણ, રજત, તાંબા અને સુતરની હોઈ શકે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને પણ શિવલિંગના વિસ્તાર પ્રમાણે પવિત્રા અર્પણ કરવામાં આવે છે.આ પણ વાંચોઃ ગિરનારની ગોદમાં બિરાજતા જટાશંકર મહાદેવ, જ્યાં સ્વામી વિવેકાનંદે પણ કરી હતી સાધના

આ પણ વાંચોઃ સનાતન હિન્દુ ધર્મમાં ચાર પ્રહરની પૂજાનું છે ખૂબ જ મહત્વ, પ્રહર દરમિયાન શિવની પૂજા કરવાથી મળે છે અકલ્પનીય ફળ

ABOUT THE AUTHOR

...view details