ગુજરાત

gujarat

ETV Bharat / city

Jagannath Rathyatra 2022 : રથયાત્રાના રંગ વચ્ચે મામેરાનું હોય છે વિશેષ મહત્વ

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રામાં લઈને (Jagannath Rathyatra 2022) ભક્તોમાં ભારે રંગ જામ્યો છે. ત્યારે ભગવાનની મહેમાનગતિને લઈને મોસાળ પક્ષ પણ આતુર છે, કારણે કે ભગવાનના મામેરાને લઈને આપણા સમાજમાં (Jagannathji mammara Importance) વિશેષ મહત્વ હોય છે.

By

Published : Jul 1, 2022, 1:32 PM IST

Jagannath Rathyatra 2022 : રથયાત્રાના રંગ વચ્ચે મામેરાનું હોય છે વિશેષ મહત્વ
Jagannath Rathyatra 2022 : રથયાત્રાના રંગ વચ્ચે મામેરાનું હોય છે વિશેષ મહત્વ

અમદાવાદ :ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા થોડીક જ (Jagannath Rathyatra 2022) ક્ષણોમાં મામાના ઘરે પધારવાની છે, ત્યારે તે પહેલા મામાના ઘરે ભક્તિ અને ઉત્સવનો માહોલ જામ્યો છે. સરસપુર મોસાળ વાસીઓ ભગવાનનું સ્વાગત કરવા તૈયાર જોવા મળી રહ્યા છે. હાલ સરસપુરમાં ભક્તોનું મહેરામણ (Jagannathji mammara Importance) જોવા મળી રહ્યું છે. ત્યારે આ અવસર આપણી સંસ્ક્રૃતિમાં મામેરાની પ્રથા હોય છે. મામેરાની પ્રથાને લઈને આપણા સમાજમાં વિશેષ મહત્વ હોય છે.

Jagannath Rathyatra 2022 : રથયાત્રાના રંગ વચ્ચે મામેરાનું હોય છે વિશેષ મહત્વ

આ પણ વાંચો :Jagannath Rath yatra 2022: પાટણમાં ભગવાન જગન્નાથજીનું મામેરૂ ભરાયુ, રાજકીય સામાજિક આગેવાનો અને શ્રદ્ધાળુઓ જોડાયા

મામેરાનું મહત્વ - ભારતીય સંસ્કૃતિમાં દરેક સમાજમાં મામેરાની (Ahmedabad Jagannath rathyatra) પ્રથા કરવામાં આવતી હોય છે. મામેરાની પ્રથાના બહાને દીકરીને કંઈક આપવાનો અવસર હોય છે. આપણે ત્યાં માત્ર પિતાનો વારસદાર દીકરો છે તેમ દીકરી પણ છે. પરંતુ આપણી સંસ્કૃતિમાં ભાઈ પાસે દીકરી અથવા તો બાપ પાસે દિકરી ધન પૈસા કે દોલત પર હક્ક કરી શકતી નથી. એટલે એને આપણે મામેરું પૂર્યુ કહેવાય છે. આપણે ત્યાં પૌરાણિક કથાઓમાં ઈતિહાસમાં પણ વર્ણન છે. જેમકે કુંવરબાઇ (Mamera practice) મામેરું જેમણે ભગવાન આવીને મામેરું પૂર્યુ હતું.

આ પણ વાંચો :Ahmedabad Rathyatra 2022: જૂઓ ભગવાન જગન્નાથજીના મામેરાંની ઝલક

મામેરા કરવા માટે 18 વર્ષનું વેઈટિંગ - અષાઢ બીજના યોજાતી રથયાત્રામાં મામેરાનું વિશેષ મહત્વ હોય છે. ભગવાન જગન્નાથજી નગરચર્યા દરમિયાન મામાના ઘરે પહોંચે છે ત્યારે મામેરું કરવામાં આવે છે. આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રાને લઈને મોસાળ સરસપુરમાં ભગવાનનું મામેરું દર્શનાર્થે મુકવામાં આવ્યું હતું. જેઠ વદ એકાદશીના દિવસે મામેરાનાં દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટ્યાં હતા. મામેરામાં ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રને વાઘા, સોનાનો ઢોળ, દોઢ કિલોનો હાર, સોનાની 3 વીંટી જોવા મળી રહી હતી. જ્યારે કે બહેન સુભદ્રાને ચુની, બુટ્ટી, નથણી, પાયલ, સોના ચાંદીના અન્ય દાગીના, સાડી, પાર્વતી શણગારની વસ્તુઓ આપવામાં આવી હતી. મામેરા કરવા માટે (Jagannath Rathyatra route) ભક્તો વર્ષો સુધી રાહ જૂએ છે. હાલ મામેરું કરવા માટે અંદાજે 18 વર્ષનું વેઈટિંગ ચાલી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details