ગુજરાત

gujarat

ETV Bharat / city

સરકાર માત્ર કાગળ જ બતાવે છે, પગલાં શું ભર્યા તે બતાવો: ગુજરાત હાઈકોર્ટ

ગુજરાત હાઈકોર્ટમાં રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને લઈને કરાયેલી સુઓમોટો પર મંગળવારના રોજ સુનવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કોર્ટ દ્વારા ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગને લઈને તેમજ કોરોના મુદ્દે સરકારની તૈયારી અને સુવિધા અંગે સુનવણી હાથ ધરાઈ હતી. સરકારે સુનવણીની આગલી રાત્રે સોગંદનામુ રજૂ કરતા મોટાભાગના વકીલોએ સોગંદનામાના અભ્યાસ માટે પૂરતો સમય ન મળતો હોવાની રજૂઆત કરી હતી. જેથી કોર્ટ દ્વારા વધુ સુનવણી સોમવાર સુધી મોકૂફ રાખવામાં આવી હતી.

સરકાર માત્ર કાગળ જ બતાવે છે, પગલાં શું ભર્યા તે બતાવો: ગુજરાત હાઈકોર્ટ
સરકાર માત્ર કાગળ જ બતાવે છે, પગલાં શું ભર્યા તે બતાવો: ગુજરાત હાઈકોર્ટ

By

Published : May 11, 2021, 7:16 PM IST

  • મંગળવારે બે વિષયો ઉપર ગુજરાત હાઇકોર્ટમાં થઇ સુનવણી
  • પ્રથમ ભરૂચમાં લાગેલી આગ અને બાદમાં કોરોના પર થઈ સુનવણી
  • કોરોના મુદ્દે 17મે અને ફાયર સેફટી મુદ્દે 25મેના રોજ સુનવણી યોજાશે

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટમાં ચાાલી રહેલી સુનવણી દરમિયાન આજે એટલે કે મંગળવારના રોજ પણ હાઈકોર્ટ દ્વારા સરકારનો ઉધડો લેવામાં આવ્યો હતો. સુનવણી દરમિયાન ભરૂચની કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈને કોર્ટે સરકારનો ઉધડો લીધો હતો. જ્યારબાદ, રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિને પહોચી વળવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાઓ અંગે સુનવણી હાથ ધરવામાં આવી હતી. જ્યારબાદ કોર્ટે વધુ સુનવણી સોમવાર સુધી મોકૂફ રાખી છે.

શું કમિટીના રિપોર્ટ કબાટમાં બંધ કરીને રાખવા બનાવાય છે?

ફાયર સેફ્ટી અંગેની સુનવણી દરમિયાન એડવોકેટ અમિત પંચાલે સરકાર દ્વારા રિપોર્ટ પબ્લિશ ન કરવામાં આવતા હોવાના આક્ષેપો સાથે સવાલો ઉભા કર્યા હતા. ભરૂચ હોસ્પિટલમાં લાગેલી આગ મામલે એડવોકેટ અમિત પંચાલનું કહેવું છે કે, કોર્ટના ડાયરેક્શન છે કે કોઈ પણ હોસ્પિટલ ફાયર સેફ્ટી વિના શરુ ન થવી જોઈએ. હોસ્પિટલમાં ફાયર સેફટી છે કે નહીં તે જોવાનું રાજ્ય સરકારની ફરજમાં હતું. સ્થાનિક તંત્ર દ્વારા કઈ રીતે એ હોસ્પિટલને મંજૂરી આપી શકે જેમાં તેણે પોતે લાગુ કરેલા નિયમોનું પાલન નથી થતું? શું કમિટીના રિપોર્ટ કબાટમાં બંધ કરી રાખવા બનાવાય છે? રાજ્યમાં આ પ્રકારનો સાતમો કિસ્સો છે. સુરતમાં પણ આવો બનાવ બન્યો હતો, સદભાગ્યે કોઈનો જીવ નથી ગયો.

સરકાર માત્ર પેપર જ આપે છે. બધુ પેપર ઉપર જ છે.

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, રિપોર્ટ કબાટમાં મૂકવામાં આવતો નથી. તેના ઉપર ઘણી વખત ચર્ચા થાય છે. વાત ભરૂચના સંદર્ભમાં છે, તો તપાસ કરવામાં આવી રહી છે કે, કોણ જવાબદાર છે. જોકે, નામદાર કોર્ટ સરકારની રજૂઆતોથી ખુશ ન હતી. સરકારને ટકોર કરતા કોર્ટે જણાવ્યું કે, તમે હંમેશા પેપર રજૂ કરો છો, પરંતુ કોઈ નક્કર પગલા લેતા નથી. અમે માત્ર એટલું પૂછવા માંગીએ છીએ કે, રાજ્યમાં આ પ્રકારના બનાવો ન બને તે માટે સરકારે શું પગલાં લીધા?

લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ બંધ થવા જોઈએ

કોરોના મુદ્દે થયેલી સુનવણીમાં એડવોકેટ શાલીન મહેતાએ જણાવ્યું હતું કે, અમારી સરકારને અપીલ છે કે, લગ્ન,અને લોકો ભેગા થાય એવા કાર્યક્રમો 15 દિવસ માટે પ્રતિબંધિત કરવામાં આવે. હાલના સમયમાં કેસ તો ઘટ્યા છે, પણ કેટલાક ધાર્મિક અને લગ્નના કાર્યક્રમોમાં ભીડ જોવા મળે છે. જે બંધ થવું જોઈએ.

ABOUT THE AUTHOR

...view details