ગુજરાત

gujarat

By

Published : Jun 22, 2020, 1:16 PM IST

ETV Bharat / city

ગૃહપ્રધાન અમિત શાહનો ગાંધીનગર સંસદીય ક્ષેત્રના રહીશોને પત્ર, શું લખ્યું છે પત્રમાં?

કોરોના વાઈરસની મહામારીમાં ગુજરાતમાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યા છે. જેને પગલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પોતાના ગાંધીનગર સંસદીય ક્ષેત્રના રહીશોની સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓને એક પત્ર પાઠવ્યો છે. જેમાં કોરોનાથી બચવા માટેના ઉપાયો જણાવીને સુરક્ષિત રહેવાની શુભેચ્છા પાઠવી છે.

etv bharat
etv bharat

અમદાવાદ : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 580 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 25 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 27317 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે.

ગૃહપ્રધાન અમિત શાહનો ગાંધીનગર સંસદીય ક્ષેત્રના રહીશોને ખુલ્લો પત્ર
  • કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગર સંસદીય મતક્ષેત્રની સોસાયટીના ચેરમેન સેક્રેટરીઓને લખેલા પત્રમાં કહ્યું છે કે
  1. અગત્યના કામ વગર બહાર જવાનું ટાળો
  2. બહાર જવાનું અનિવાર્ય હોય તો ફેસ કવરનો અચુક ઉપયોગ કરો
  3. સાબુવાળા પાણીથી હાથ ધૂઓ
  4. સોશિઅલ ડિસ્ટન્સિંગનું પાલન કરો
  5. સમુહમાં મળવાનું અચૂક ટાળોઅમિત શાહે અપીલ કરી છે

સ્થાનિક અને આપણા દેશમાં બનેલી ચીજવસ્તુઓ અને સેવાઓનો ઉપયોગ કરવા અને તેનો પ્રચાર કરવા પણ આપ સૌને આહ્વાન કરું છું.અમિત શાહે રોગ પ્રતિકાર શક્તિમાં વધારો થયા તેવા પગલા લેવા પણ અપીલ કરી છે. આપણા ઘરના રસોડામાં જ રોગ પ્રતિકાર શક્તિ વધારવાના ઉપાયો છે, જેનો ભરપુર ઉપયોગ કરો. જેમ કે લીંબુ પાણી પીઓ, ખાટા ફળો જેવા કે મોસંબી અથવા સંતરાનું સેવન કરો, તેમજ આયુષ મંત્રાલય દ્વારા સુચવાયેલા આર્યુવૈદિક ઉકાળાનું સેવન કરો. ચવનપ્રાસ ખાઓ, હળદરવાળુ દૂધ પીઓ, જેનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે. જેનાથી આપ વધુ સુરક્ષિત રહી શકો છો. તેમજ અન્ય લોકોને પણ પ્રેરણા આપજો તેવો સંદેશ પાઠવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details