- ગાંધીનગરમાં વિકાસને વધુ વેગ અપાશે
- વધુ છ માર્ગીય રસ્તા અને ફ્લાય ઓવરના કામ કરાશે પૂર્ણ
- 4 KM લાંબા એલિવેટર બ્રિજ પર પણ કરાશે કાર્ય
- 17 કરોડના ખર્ચે તૈયાર કરાયો ફ્લાય ઓવર
અમદાવાદ: ઉવારસદ જંકશન ખાતે 17 કરોડના ખર્ચે તૈયાર કરાયેલો ફ્લાયઓવર અને 21.65 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રસ્તાનું નાયબ મુખ્યપ્રધાને લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ સરખેજ-ગાંધીનગર-ચિલોડા માર્ગને રૂ.850 કરોડના ખર્ચે 6 માર્ગીય બનાવવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યુ છે. આ માર્ગ પર આવતા તમામ સર્કલ પર ફ્લાયઓવર બની રહ્યા છે. જ્યાં બે શહેરોને જોડતા 6 માર્ગીય હાઇવે પર ફ્લાયઓવર અને 4 કિ.મી.નો એલીવેટર બ્રીજનું કામ પણ ચાલુ છે. જે પણ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવશે.