ગુજરાત

gujarat

By

Published : Jun 19, 2022, 10:18 PM IST

ETV Bharat / city

રૂપાણી સરકારના પ્રધાનો સરકારી બંગલા ખાલી કરતા નથી : કોંગ્રેસ

એક બાજુ સરકારી અધિકારી સરકારી આવાસો (Government Quarters in Gandhinagar) મેળવવા મુશ્કેલી પડી રહી છે ત્યારે હજુ પણ રૂપાણી સરકારના કેટલાક પ્રધાનો ગાંધીનગરમાં સરકારી બંગલાનો (Government Bungalows) ઉપયોગ કરી રહ્યા હોવાનો દાવો ગુજરાત કોંગ્રેસે કર્યો છે. આ અંગે કોંગ્રેસે લેખિતમાં અરજી આપી મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સચીવને જાણ કરી છે.

રૂપાણી સરકારના મંત્રીઓ સરકારી બંગલા ખાલી કરતા નથી: કોંગ્રેસ
રૂપાણી સરકારના મંત્રીઓ સરકારી બંગલા ખાલી કરતા નથી: કોંગ્રેસ

અમદાવાદ: ગુજરાત કોંગ્રેસે દાવો કર્યો છે કે, અગાઉની રૂપાણી સરકારના કેટલાક પ્રધાનો (Former Ministers in Gujarat Govt) હજુ ગાંધીનગરમાં ફાળવેલા બંગલા (Government Bungalow in Gandhinagar) ખાલી કરતા નથી. આ યાદીમાં કુલ 15 જેટલા પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. આ મકાનો તાત્કાલિક રૂપે ખાલી કરવાની કોંગ્રેસે (Gujarat Congress) માંગ કરી છે. પૂર્વ પ્રધાન નીતિન પટેલ, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિત નેતા આ બંગલાઓનો ઉપયોગ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ રૂપાણી સરકાર સહિત દરેક પ્રધાનોને પદ પર હટાવીને નવા પ્રધાનોની નિમણૂંક કરી છે. પરંતુ જેમાં 15 જેટલા પ્રધાનો ક્વાર્ટસર સિવાય ફાવતું નથી.

રૂપાણી સરકારના મંત્રીઓ સરકારી બંગલા ખાલી કરતા નથી: કોંગ્રેસ

આ પણ વાંચો:રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે બે આરોપીઓને પકડી પાડ્યા

બજાર ભાવ કરતા ઓછું ભાડું:કોઈ પણ એવા બહાના કાઢીને અગાઉની સરકારના પ્રધાનો બંગલા-ક્વાર્ટર ખાલી કરતા નથી. નીતિન પટેલ,ભુપેદ્રસિંહ ચુડાસમા,સૌરભ પટેલ,ગણપતસિંહ વસાવા, પ્રદીપસિંહ જાડેજા સહિતના અનેક નેતા 4800 રૂપિયા જેટલી સામાન્ય ભાડું ચૂકવી રહ્યા છે. જ્યારે માર્કેટમાં આવા આલીશાન બંગલાના 48000 રૂપિયા જેટલા ભાડા ચાલી રહ્યા છે. પ્રજાના પૈસાનો વ્યય થાય તે રીતે સરકારી વિશાળ બંગલાઓ નવી સરકારે ફાળવણી કરી દીધી છે.

સગા-વ્હાલાની નીતિ:કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશી જણાવ્યું હતું કે ભાજપ સરકારના આ પૂર્વ મંત્રીઓ "ક" અને "ખ" કક્ષાના બંગલાઓ ગાંધીનગરમાં પ્રવર્તમાન શૈક્ષણિક સત્ર સુધી અભ્યાસક્રમના બહાને રાજ્ય સરકારની મંજૂરીથી માર્ગ અને મકાન વિભાગના તાબા હેઠળની પાટનગર યોજના માત્ર 4800 ના ભાડા પેટે આપવામાં આવી રહ્યા છે. આ દરેક પૂર્વ પ્રધાનોના બાળકો ગાંધીનગરમાં અભ્યાસ કરી રહ્યા છે. તેની તપાસ પણ કરવાની માંગ કરવામાં આવી છે. રાજ્યમાં અનેક પોલીસ કર્મચારી કે અન્ય કર્મચારી ફિક્સ પગારના કારણે બહાર મોંઘુ ભાડું ભરવા મજબૂર બની રહ્યા છે.

આ પણ વાંચો:પાકિસ્તાને 20 ભારતીય માછીમારોને કર્યા જેલમુક્ત, આ રીતે પહોંચશે માદરે વતન

બંગલા ખાલી કરવામાં રસ નથી:ભાજપ સરકારના પ્રધાનો આ સરકારી બાંગલા ખાલી કરવા કોઈ રસ જોવા મળતો નથી.સરકારને સામે માંગણી પણ કરવામાં આવી હતી કે જે પૂર્વપ્રધાનોને જે સિક્યુરિટી અને બંગલા આપવામાં આવ્યા છે પરત લઈ જનતા પૈસાનો જે દૂર ઉપયોગ થઈ રહ્યો છે તે અટકવામાં આવે.

ABOUT THE AUTHOR

...view details