નવી દિલ્હીઃ સરકારે ઇન્ડિયન બેંક્સ એસોસિએશન (IBA) ને કર્મચારીઓના પગાર વધારા માટે 12મી દ્વિપક્ષીય સમાધાનની વાટાઘાટોની પ્રક્રિયા શરૂ કરવા અને તેને 1 ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવા જણાવ્યું છે. નાણા મંત્રાલયે IBAને જણાવ્યું હતું કે, વેતન વધારા અંગેની વાટાઘાટો તમામ ભાવિનો સમયગાળો પૂરો થાય તે પહેલા પૂર્ણ થવી જોઈએ. જેથી વેતન સુધારણા સમયસર થઈ શકે. આ અંતર્ગત IBA કર્મચારીઓના સંગઠનો સાથે વાતચીત શરૂ કરી અને પરસ્પર સહમતિના આધારે ઈન્ક્રીમેન્ટ અંગે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકે છે.
વેતન વધારોઃIBA બેંક કર્મચારીઓને લગતા પ્રશ્નો જેમ કે, પગાર વધારો, પેન્શન વગેરે સાથે કામ કરે છે. જાહેર ક્ષેત્રની કેટલીક બેંકોના વડાઓ પણ આ સંસ્થાના સભ્ય છે. સંસ્થા સરકાર અને બેંક યુનિયનો વચ્ચે સેતુનું કામ કરે છે. જોકે, સમયાંતરે થતો બેંક કર્મચારીઓનો વેતન વધારે ક્યાંક ફરી ઉગ્ર રૂપ લે એવી સંભાવના આ વાત પરથી લાગી રહી છે. 'બેંક બચાવો, દેશ બચાવો' મંચના સંયોજક સૌમ્ય દત્તા કહે છે કે, સરકાર હંમેશા ચૂંટણી પહેલા આવા આદેશો આપે છે, પરંતુ તેને પૂર્ણ કરવામાં બેથી ત્રણ વર્ષનો સમય લાગે છે. અમે ગયા વર્ષથી આ માંગણી ઉઠાવી રહ્યા છીએ. આમ છતાં સરકારે કોઈ ધ્યાન આપ્યું ન હતું. હવે સરકાર લોકસભાની ચૂંટણી પહેલા આ માંગ પર ધ્યાન આપવાની વાત કેમ કરી રહી છે. જો સરકારની વિચારસરણી અને ઈરાદા સાચા હશે તો ટૂંક સમયમાં આ મામલો ઉકેલાઈ જશે.
કર્મચારીઓને આ વખતે સરકાર પાસેથી ઘણી અપેક્ષાઓ છે. સરકારે આ આશા જીવંત રાખવી જોઈએ. જો બેન્કિંગ સેક્ટરનું પ્રદર્શન સારું છે તો બેન્ક કર્મચારીઓના પગારમાં સારો વધારો થવો જોઈએ. નોંધપાત્ર રીતે, અગાઉના કરાર પર 12 જાહેર ક્ષેત્રની બેંકો, 10 જૂની પેઢીની ખાનગી ક્ષેત્રની બેંકો અને સાત વિદેશી બેંકોએ હસ્તાક્ષર કર્યા હતા. HDFC બેંક અને ICICI બેંક જેવી નવી પેઢીની ખાનગી બેંકો આ વાટાઘાટોનો ભાગ નથી.---અશ્વિની રાણા (વાઈસ ઓફ બેન્કિંગના સ્થાપક)
ઉકેલની ઈચ્છાઃજો આ વખતે ફરી સરકાર કળતર બંધ કરવાની નીતિ અપનાવશે તો ચોક્કસ અમે તેની સામે ઉભા રહીશું. છેલ્લી વખતે વેતનમાં વધુ બે ટકા વધારા માટે IBA સાથે વાતચીત શરૂ થઈ હતી. આ વખતે તે કામ કરશે નહીં. અમે નક્કર વાતચીત ઈચ્છીએ છીએ. જોકે, આ મંચ સાથે જોડાયેલા કર્મચારીઓ પણ એવું ઈચ્છે છે કે, સમયસર આ પગાર વધારો લાગુ પડે અને કર્મચારીઓના ખાતામાં આવી જાય. પણ આ અંગે સરકાર તરફથી ખાસ કોઈ વલણ જાણવા મળ્યું નથી. આગામી લોકસભા ચૂંટણીને લઈને અત્યારથી તૈયારીઓ થઈ રહી છે. જેમાં આ પ્રકારના આંદોલન માહોલ બગાડી શકે છે અને સરકારને પડાકાર ફેંકી શકે છે. જેમાં બેંક કર્મીઓના મતથી પણ આ મુદ્દાને જોવામાં આવે છે.
- Surat News: વિશ્વનું સૌથી મોટું ડાયમંડ બુર્સ 21મી નવેમ્બરથી કાર્યરત થશે, પીએમ મોદી કરી શકે છે લોકાર્પણ
- SBI Loan Interest Rate: લોન લેવાનો પ્લાન હોય તો SBIની અપડેટ જાણો, વ્યાજ દરમાં કર્યો વધારો