NSEના 50 શેર પર આધારિત નિફ્ટી પણ 228.50 પોઇન્ટ અથવા 2.11 ટકા વધીને 11,057.85 પર બંધ થયું હતું.
નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના મૂડી લાભ એટલે કે મૂડી લાભ પર સરચાર્જમાં થયેલા વધારાને પાછો ખેંચવાની ઘોષણા કરી હતી. તેમજ નાણા પ્રધાને બેંકોની મૂડી વધારવા માટે તાત્કાલિક બેંકોને 70,000 કરોડ રૂપિયાની વધારાની મૂડી આપવાની જાહેરાત કરી હતી.
નાણા પ્રધાને દેશની અર્થવ્યવસ્થાને આગળ વધારવા અને આર્થિક વિકાસને વેગ આપવા માટે અન્ય અનેક સુધારાની પણ જાહેરાત કરી હતી, જેથી આગામી દિવસોમાં ઉદ્યોગ અને વ્યવસાયને નવી ઉર્જા મળી શકે.
ખાસ કરીને સરચાર્જ પાછો ખેંચી લેવાથી વિદેશી પોર્ટફોલિયોના રોકાણકારો અને સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોને રાહત મળી છે, જેને પગલે સ્થાનિક શેરબજારમાં ફરી તેજી જોવા મળી છે.