હૈદરાબાદ: કોરોના માહામારીને લીધે 25 માર્ચથી 31 મે સુધી ચાલેલા લોકડાઉન પછી જેમ ભારત અનલોક થઈ રહ્યું છે, તેવી જ રીતે જૂનના બીજા સપ્તાહમાં બેકારીના દરમાં ભારે ઘટાડો જોવા મળ્યો. ગયા અઠવાડિયે, આર્થિક થિંક ટેન્ક સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઇકોનોમિઝ (સીએમઆઈઇ) ના માસિક આંકડા દર્શાવે છે કે મે અને એપ્રિલ બંનેમાં ભારતનો બેરોજગારી દર 23.5 ટકા હતો, જે જૂનમાં 11 ટકા પર આવ્યો છે.
ગ્રામીણ વિસ્તારોની વાત કરીએ તો મે મહિનામાં બેરોજગારીનો દર 22.5 ટકા હતો, જે જૂનમાં ઘટીને 10.5 ટકા થયો છે. તે જ સમયે, શહેરી વિસ્તારમાં, મે માં બેરોજગારીનો દર 25.8 ટકા હતો, જે જૂનમાં ઘટીને 12 ટકા થયો છે.
જૂનમાં રોજગારની સંખ્યામાં થયેલા સુધારાએ કેટલાક રોકાણકારો અને વિશ્લેષકોને ખુશ કરવામાં સફળતા પ્રાપ્ત કરી છે કારણ કે તે અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના સંકેત આપે છે.
નોકરીઓની ગુણવત્તા એક ચિંતાનો વિષય
સીએમઆઈઇના આંકડાથી ખહર પડી કે કોરોના રોગચાળાને પગલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચના અંતમાં દેશવ્યાપી લોકડાઉન લાગુ કર્યા પછી એપ્રિલમાં ભારતમાં લગભગ 12.2 કરોડ લોકોએ નોકરી ગુમાવી દીધી હતી. બાદમાં પ્રતિબંધો ધીમે ધીમે હળવા કરવામાં આવ્યા. જે બાદ મે મહિનામાં 2.1 કરોડ નોકરીઓ પરત આવી અને જૂનમાં 7 કરોડ નોકરીઓ પરત આવી.
જો કે, 7 કરોડ નોકરીઓમાંથી માત્ર 39 લાખ અથવા 5.5 ટકા વેતનવાળી નોકરી હતી. બાકીની મોટાભાગનો રોજગાર ખેતી અને અનૌપચારિક સ્વરૂપોથી આવે છે. આ મહત્વપૂર્ણ છે કારણ કે એપ્રિલ અને મે બંનેમાં લગભગ 1.8 કરોડ પગારદાર નોકરીઓ છીનવાઇ હતી.