નવી દિલ્હી: લોકડાઉન હટાવ્યા બાદ ભારત અને અન્ય દેશોમાં કોરોના વાઇરસના કેસમાં તેજી જોવા મળી છે. ભારતમાં મોદી સરકારે 8 જૂનથી અર્થતંત્રને અનલૉક કરવાનું શરૂ કર્યું. 5 માર્ચથી 7 જૂન સુધી ચાલેલા લોકડાઉનને અનલોક કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
અર્થવ્યવસ્થા ખૂલવાની સાથે જ, મહેસૂલ સંગ્રહમાં સતત વધારો થયો હતો. ભારતનું જીએસટી કલેક્શન જૂનમાં પૂર્વ-કોવિડ સ્તરને લગભગ સ્પર્શ્યું છે, પરંતુ નવા સમયગાળા દરમિયાન નવા કોરોના કેસની સંખ્યા પણ 2 લાખથી વધીને 6 લાખ થઈ છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓએ અર્થતંત્રને પુનર્જીવિત કરવાના પગલાઓની અસરકારકતા પર પણ શંકા વ્યક્ત કરી છે. જે જણાવે છે કે, જ્યાં સુધી તબીબી વિજ્ઞાન કોરોના વાઇરસ માટે નક્કર દવા અથવા રસી ન બનાવે ત્યાં સુધી અર્થતંત્રને પુનર્જીવિત કરી શકાતું નથી. અત્યંત ચેપી વાઇરસએ વિશ્વભરમાં ઘણા લોકોને સંક્રમિત કર્યા છે.
આ મુદ્દા પર વાત કરતાં આરબીઆઈના પૂર્વ ડેપ્યુટી ગવર્નર આર ગાંધીએ કહ્યું હતું કે, કોરોના દવા કેટલા સમય સુધી આવે છે તે જોવાનું રહેશે, પરંતુ આ દરમિયાન આપણે કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો કરી રહ્યા છીએ. કોરોના સાથે વ્યવહાર કરવો અથવા લોકોની આજીવિકા બચાવવી ખૂબ મુશ્કેલ છે.
દેશમાં પુષ્ટિ થયેલા કોરોના કેસોની સંખ્યા 6 લાખને વટાવી ચૂકી છે. તે જ સમયે, અમેરિકા (27,31,000), બ્રાઝિલ (14,10,000) અને રશિયા (6,54,000) પછી કોરોના દર્દીઓના કેસોમાં ભારત વિશ્વમાં ચોથા સ્થાને પહોંચી ગયું છે.
માર્ચના અંતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે વાઇરસને ફેલાતા અટકાવવા માટે વિશ્વમાં સૌથી કડક રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લગાવી દીધું હતું. જોકે, લોકડાઉનથી દેશમાં આર્થિક પ્રવૃત્તિઓ પણ બંધ થઈ ગઈ છે.
છેલ્લા કેટલાક મહિનાથી કોરોના વાઇરસના રોગચાળાને કારણે આર્થિક ગતિવિધિમાં ઘટાડો થવાના કારણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) હેઠળની સરકારની આવકને અસર થઈ રહી છે. આ જ કારણ છે કે તે જૂનમાં એક લાખ કરોડના માનસિક સ્તરથી નીચે આવીને માત્ર 90,917 કરોડ રૂપિયા મેળવી શક્યું છે. જૂનમાં પ્રાપ્ત થયેલા સંગ્રહ પાછલા વર્ષોની સંખ્યાના 91 ટકા છે.
એપ્રિલમાં જીએસટી કલેક્શન માત્ર 32,294 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના સમાન મહિના દરમિયાન એકત્રિત થયેલી આવકનો 28 ટકા હતો. આ સિવાય મે મહિના માટેનો જીએસટી કલેક્શન 62,009 કરોડ રૂપિયા હતું, જે ગયા વર્ષના સમાન મહિના દરમિયાન એકત્રિત થયેલી આવકનો 62 ટકા હતો.