ગુજરાત

gujarat

ETV Bharat / business

આનંદ મહિન્દ્રાએ 49 દિવસ બાદ વ્યાપક સ્તર પર લૉકડાઉન વધારવાનું કર્યું સૂચન

આનંદ મહિન્દ્રાએ સ્વીકાર્યું કે, લૉકડાઉનમાંથી બહાર નીકળવાનું આયોજન સરકાર માટે ખૂબ જ પડકારજનક છે. કારણ કે, અર્થવ્યવસ્થામાં બધી વસ્તુઓ એક બીજા સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે, આગળની યોજના મોટા પાયે કોરોનાને નિયંત્રણ અને પરીક્ષણ પર આધારિત હોવી જોઇએ. ફક્ત હૉટસ્પોટ્સ અને લોકોના સંવેદનશીલ જૂથોને અલગ રાખવા જોઇએ.

By

Published : Apr 29, 2020, 9:46 AM IST

Etv Bharat, Gujarati News, Business News, Anand Mahindra
Anand Mahindra

નવી દિલ્હીઃ મહિન્દ્રા ગ્રુપના અધ્યક્ષ આનંદ મહિન્દ્રાએ મંગળવારે સૂચન કર્યું હતું કે, સરકારે કુલ 49 દિવસ બાદ લૉકડાઉનના વ્યાપક સ્તરે લઇ જવું જોઇએ. તેમણે કહ્યું કે, જો દેશના જુદા-જુદા ભાગોમાં લૉકડાઉન ધીરે-ધીરે ઉદ્ભવે છે તો ઔદ્યોગિક પ્રવૃતિઓ ચલાવવી અને ધીમી થવી મુશ્કેલ થઇ જશે.

આનંદ મહિન્દ્રાએ સ્વીકાર્યું કે, લૉકડાઉનમાંથી બહાર નીકળવાનું આયોજન સરકાર માટે ખૂબ જ પડકારજનક છે. કારણ કે, અર્થવ્યવસ્થામાં બધી વસ્તુઓ એક બીજા સાથે જોડાયેલી છે. તેમણે કહ્યું કે, આગળની યોજના મોટા પાયે કોરોનાને નિયંત્રણ અને પરીક્ષણ પર આધારિત હોવી જોઇએ. ફક્ત હૉટસ્પોટ્સ અને લોકોના સંવેદનશીલ જૂથોને અલગ રાખવા જોઇએ.

આનંદ મહિન્દ્રાએ અનેક ટ્વીટ્સમાં કહ્યું છે કે, સંશોધન દર્શાવે છે કે, 49 દિવસનો લૉકડાઉન પૂરતું છે. જો સાચું હોય તો આ સમયગાળો નક્કી થવો જોઇએ.

આ ઉપરાંત તેમણે જણાવ્યું કે, લૉકડાઉન દૂર કર્યા બાદ નિયંત્રણ વિસ્તારોમાં મોટા પાયે સંક્રમણની જાણ થવી જોઇએ અને પરીક્ષણ પણ કરાવવું જોઇએ. જ્યારે ફક્ત લોકોના હૉટસ્પોટ્સ અને અતિ સંવેદનશીલ વિભાગોને અલગ રાખવા જોઇએ.

25 માર્ચથી દેશમાં જાહેર પ્રતિબંધ લાગુ છે. તેનો અમલ 3 મે સુધી બે તબક્કામાં કરવામાં આવ્યો છે. 20 એપ્રિલથી, ગ્રામિણ વિસ્તારોમાં, ફેક્ટરીઓ અને કેટલીક અન્ય વ્યાપારી પ્રવૃતિઓને રાજ્યોની યોગ્ય મહેનત અને સૂચનાઓ અનુસાર ફરીથી શરૂ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details