ગુજરાત

gujarat

ETV Bharat / business

અનિલ અંબાણીના સુપુત્રોએ રિલાયન્સ ઇન્ફ્રા.ના બોર્ડમાંથી આપ્યું રાજીનામું

નવી દિલ્હી: ગત વર્ષે ઓક્ટોબરમાં જ અનિલ અંબાણીએ પોતાના પુત્ર જય અનમોલ અંબાણી અને જય અંશુલ અંબાણીને રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કર્યા હતા. માત્ર છ માસની અંદર જ તેમણે પોતાના પદેથી રાજીનામું આપી દીધું છે.

By

Published : Feb 5, 2020, 10:28 AM IST

etv bharat
etv bharat

અનિલ અંબાણીના બંને પુત્રોએ રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. ગત વર્ષે જ ઓક્ટોબરમાં અનિલ અંબાણીના પુત્રોની કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પદે નિમણુક થઇ હતી. શેરબજારને આપવામાં આવેલી માહિતીમાં કંપનીએ જણાવ્યું હતું કે, બંનેએ ડિરેક્ટર બોર્ડમાં જોડાવાના છ મહિનાની અંદર રાજીનામું આપ્યું છે.

આ રાજીનામું 31 જાન્યુઆરીથી અમલમાં આવ્યું છે. જો કે, શા માટે આ બંનેએ રાજીનામુ આપ્યુ તે અંગે કંપની તરફથી કોઈ ખુલાસો થયો નથી.

ABOUT THE AUTHOR

...view details