સાબરકાંઠા: જિલ્લાની કોરોના તબીબી ટીમે કુલ 76 દર્દીઓને કોરોના મુક્ત કર્યા છે. તેમાં સોમવારે એક સાથે ૨૦ કોરોનાના દર્દીઓને સાજા કર્યા છે. આ સ્વસ્થ થયેલા દર્દીઓમાં બે માસની બાળકીથી લઈ ૮૦ વર્ષના વૃદ્ધા સુધી કોરોનાના દર્દીઓને સારવાર થકી રાહત મળી છે.
સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ, મેડીસ્ટર હોસ્પિટલ તેમજ સમરસ હોસ્ટેલ ખાતે કોવિડ કેર સેન્ટર એમ ત્રણ જગ્યાએ કોરોનાની અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સારવારને અંતે ૭૬ દર્દી સારવાર લઈ ઘરે સાજા થઈ ગયા છે.