ગુજરાત

gujarat

અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન સરહદ સુરક્ષા મુખ્ય મુદ્દો બન્યો : ગૃહપ્રધાન

By

Published : Jul 17, 2021, 2:55 PM IST

ગૃહ પ્રધાન અમિત શાહે સરહદ સુરક્ષા દળ (BSF)ના 18માં અલંકાર સમારોહમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે BSF જવાનોને મેડલ આપી સન્માનિત કર્યા હતા.

ગૃહપ્રધાન
ગૃહપ્રધાન

  • અમિત શાહે BSFના 18માં અલંકાર સમારોહમાં ભાગ લીધો
  • ગૃહપ્રધાન અમિત શાહે BSFના જવાનોનું સન્માન કર્યું
  • BSF જવાનને તેમની અસાધારણ બહાદુરી માટે મેડલ આપ્યા

નવી દિલ્હી :ગૃહપ્રધાન અમિત શાહે સરહદ સુરક્ષા દળ (BSF)ના 18માં અલંકાર સમારોહમાં ભાગ લીધો હતો. આ સમારોહમાં ગૃહ સચિવ અજય ભલ્લા અને ગુપ્તચર એજન્સીના ડિરેક્ટર અરવિંદ કુમાર પણ હાજર હતા. આ દરમિયાન ગૃહ પ્રધાન અમિત શાહે BSFના જવાનોનું સન્માન કર્યું હતું. તેમણે BSF જવાનને તેમની અસાધારણ બહાદુરી માટે મેડલ પણ આપ્યા હતા.

અર્ધલશ્કરી દળોને કારણે આજે ભારત વિશ્વના નકશા પર પોતાનું ગૌરવ સ્થાન નોંધાવી રહ્યું

ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું કે, હું તે લોકોને સલામ કરું છું જેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. કારણ કે, આખો દેશ જાણે છે કે તમે સજાગ બનીને દેશની સરહદોનું રક્ષણ કરી રહ્યા છો. એટલે જ આજે દેશ લોકતંત્રના અપનાવેલા વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યો છે. તે બલિદાનને ક્યારેય ભૂલી શકાતા નથી. BSF અને સરહદ સુરક્ષાના કાર્યમાં રોકાયેલા તમામ અર્ધલશ્કરી દળોને કારણે આજે ભારત વિશ્વના નકશા પર પોતાનું ગૌરવ સ્થાન નોંધાવી રહ્યું છે.

આ પણ વાંચો : BSF આર્ટિલરીએ 2500 કિલોમીટરની યોજી સાઈકલ રેલી

મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા

તત્કાલિન પૂર્વ પાકિસ્તાનમાં માનવાધિકારનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું તેમણે જણાવ્યું હતું. મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યા હતા. BSF જવાનોએ મહત્વની ભૂમિકા ભજવી હતી અને હવે બાંગ્લાદેશ એક સ્વતંત્ર રાષ્ટ્ર છે. રૂસ્તમજીએ તે કામગીરીની દેખરેખ રાખી હતી.

વાજપેયીની સરકાર સમયે આ મુદ્દો આગળ ધપાવાયો

આપણે 7,516 કિ.મી.ના દરિયાકિનારે અને 15,000 કિ.મી.થી વધુની જમીનની સરહદ પર આગળ વધવું પડ્યું. લાંબા સમયથી કેટલીક અગ્રતાને કારણે સરહદ સુરક્ષા પર કોઈ ચર્ચા થઈ ન હતી. જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર બની હતી, ત્યારે આ મુદ્દો આગળ ધપાવાયો હતો.

આ પણ વાંચો : કાશ્મીરમાં અક્ષય કુમાર, BSF જવાનો સાથે કર્યો ભાંગડા ડાન્સ અને રમ્યા વોલીબોલ

સરહદ સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા છે - અમિત શાહ

અમિત શાહે જણાવ્યું હતું કે, સરહદ સુરક્ષા રાષ્ટ્રીય સુરક્ષા છે. આપણી સામે અનેક પડકારો છે. મને મારી અર્ધલશ્કરી દળો પર પૂરો વિશ્વાસ છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં આપણી એક સ્વતંત્ર સંરક્ષણ નીતિ છે. જેણે આપણી સાર્વભૌમત્વને પડકારનારા લોકોને સમાન ભાષામાં પ્રતિક્રિયા આપવાની ચેતવણી આપી છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details