ગુજરાત

gujarat

By

Published : Mar 28, 2023, 9:12 AM IST

Updated : Mar 28, 2023, 1:16 PM IST

ETV Bharat / bharat

Umesh pal kidnapping case: ઉમેશ પાલ અપહરણ કેસમાં અતીક અહેમદ દોષિત, તમામ 10 આરોપીઓ પર કોર્ટનો ચુકાદો

25 જાન્યુઆરી 2005ના રોજ બસપાના ધારાસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 5 આરોપીના નામ હતા. જ્યારે ચાર અજાણ્યાને આરોપી બનાવાયા હતા. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતા.

Umesh pal kidnapping case hearing, Atiq Ahmed and Ashraf appeared in court
Umesh pal kidnapping case hearing, Atiq Ahmed and Ashraf appeared in court

પ્રયાગરાજ: ઉમેશનું 28 ફેબ્રુઆરી 2006ના રોજ અપહરણ કરવામાં આવ્યું હતું. અતીક અહેમદ અને તેના સહયોગીઓ સામે આરોપ લગાવવામાં આવ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે અતીકે તેની પર હુમલો કર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. આ માટે સોમવારે જ જ્યારે અશરફને બરેલી જેલમાંથી ત્યારે અતીકને સાબરમતી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો છે.

રાજુ પાલની હત્યા:જણાવી દઈએ કે 25 જાન્યુઆરી 2005ના રોજ બસપાના ધારાસભ્ય રાજુ પાલની હત્યા કરવામાં આવી હતી. ઉમેશ પાલ આ કેસમાં પ્રત્યક્ષદર્શી સાક્ષી હતા. માફિયા અતીકે તેને કેસમાંથી ખસી જવા કહ્યું. ઉમેશ પાલ તેની વાત સાંભળતો ન હતો. આ પછી 28 ફેબ્રુઆરી 2006માં ઉમેશ પાલના અપહરણ કરવામાં આવ્યું હતું. તેને માફિયા અનુસાર જુબાની આપવા માટે કહેવામાં આવ્યું હતું. અતીકની વાત ન સાંભળવા બદલ તેને અનેક પ્રકારની યાતનાઓ પણ આપવામાં આવી હતી.

આરોપી પહેલેથી જ નૈની સેન્ટ્રલ જેલમાં:અપહરણ કેસમાં 11 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જ્યારે ફરહાન નામનો આરોપી પહેલેથી જ નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે. તે જ સમયે, અતીકના વકીલ ખાન સુલત હનીફ અને અન્ય આરોપીઓ જામીન પર બહાર છે. આ સિવાય અન્સાર નામના આરોપીનું મોત થયું છે. મંગળવારે જ્યારે ચુકાદો સંભળાવવામાં આવશે ત્યારે ફરહાન પણ અતીક અને અશરફ સાથે હાજર રહેશે.

Atiq Ahmed: તેઓ મારી હત્યા કરવા માંગે છે' - અતીકે યુપી પોલીસ તરફ ઈશારો કરતા કહી મોટી વાત

નૈની સેન્ટ્રલ જેલમાં રાત વિતાવી: સોમવારે અતીક અહેમદ સહિત પરિવારના 3 સભ્યોએ પ્રયાગરાજની નૈની સેન્ટ્રલ જેલમાં રાત વિતાવી હતી. આવું પહેલીવાર બન્યું જ્યારે અતીકના પરિવારના 3 સભ્યો જેલમાં સાથે રહ્યા. માફિયાના નાના ભાઈ પૂર્વ ધારાસભ્ય ખાલિદ અઝીમ ઉર્ફે અશરફને બરેલી જેલમાંથી નૈની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવ્યો છે. જ્યારે અતીક અહેમદનો બીજો પુત્ર અલી અહેમદ ઘણા મહિનાઓથી નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે. અતીક અહેમદ સહિત ત્રણેય લોકોને અલગ-અલગ બેરેકમાં રાખવામાં આવ્યા છે.

Delhi Liquor Scam: કવિતાની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

અતીક અને અશરફને પ્રયાગરાજ લાવવામાં આવ્યા: ઉમેશ પાલ હત્યા કેસના એક મહિના અને ત્રણ દિવસ બાદ અતીક અને અશરફને પ્રયાગરાજ લાવવામાં આવ્યા છે. તેના પિતા અને કાકાને નૈની સેન્ટ્રલ જેલમાં લાવવામાં આવશે તેવી માહિતી મળ્યા બાદ, અલીએ જેલ પ્રશાસનને તેના પિતાને મળવાની માંગ કરી, પરંતુ તેને તેમ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. અલીને અન્ય બેરેકમાં પણ મોકલવામાં આવ્યો છે. અતીક અહેમદ અને અશરફને પણ અલગ-અલગ ઉચ્ચ સુરક્ષા બેરેકમાં રાખવામાં આવ્યા છે. અગાઉ રાજુ પાલ હત્યા કેસ બાદ અતીક અહેમદ અને અશરફ થોડો સમય નૈની સેન્ટ્રલ જેલમાં રહ્યા હતા.

Last Updated : Mar 28, 2023, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details