- કાશી વિશ્વનાથ મંદિર સંકુલમાં બાંધકામ હેઠળ કોરિડોરની જગ્યાએ મોટો અકસ્માત સર્જાયો
- ઇજાગ્રસ્તોને મંડલીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા
- 2 મજૂરોના મોત નીપજ્યાં હતાં
વારાણસી: કાશી વિશ્વનાથ મંદિર સંકુલમાં બાંધકામ હેઠળ કોરિડોરની જગ્યાએ મોટો અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 મજૂરોના મોત નીપજ્યાં હતાં અને 6થી વધુ ઇજાગ્રસ્ત થયાં હતાં. આ અકસ્માત સવારે 4 વાગ્યે બન્યો હતો. જો કે, મંદિરના વહીવટ અને ત્યાં કાર્યરત કોન્ટ્રાક્ટરે હજી સુધી તેની પુષ્ટિ કરી નથી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર, 2 લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને મંડલીય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીઆરડીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.
આ પણ વાંચોઃ10 સેકન્ડમાં જ બે માળનું મકાન થયું ધરાશાયી, લોકડાઉનના કારણે મોટો અકસ્માત થતા ટળ્યો
વિશ્વનાથ કોરિડોરમાં કામ કરતાં અડધો ડઝન મજૂર ઇજાગ્રસ્ત થયા
વારાણસીના નિર્માણાધીન કાશી વિશ્વનાથ ધામ(Kashi Vishwanath Corridor)માં, મંગળવારે સવારે જર્જરિત થઇ ચૂકેલા બે માળનું મકાન ધરાશાયી થતાં બે મજૂરના મોત નીપજ્યાં હતાં, જ્યારે વિશ્વનાથ કોરિડોરમાં કામ કરતાં અડધો ડઝન મજૂર ઇજાગ્રસ્ત થયા હતા. ઘાયલોની સારવાર શિવપ્રસાદ ગુપ્તા મંડલીય હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
તમામ કામદારો કાટમાળ નીચે દટાયા હતા
મળતી માહિતી મુજબ, વિશ્વનાથ કોરિડોરમાં કામ કરતા આ મજૂરો જર્જરિત મકાનમાં અસ્થાયીરૂપે રહેતા હતા. મંગળવારે વહેલી સવારમાં ઘર અચાનક જર્જરિત થઇ ગયું હતું, જે હેઠળ તમામ કામદારો કાટમાળ નીચે દટાયા હતા. બાતમી મળતાં પોલીસ ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને બધાને બહાર કાઢ્યા હતા અને હોસ્પિટલમાં મોકલ્યા હતા, જ્યાં ડોક્ટરોએ બે મજૂરોને મૃત જાહેર કર્યા હતા.