- ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સીના (Mehul Choksi) પ્રત્યાર્પણનો મામલો
- ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રિર્ટેનું (PM Roosevelt Skerrit)નિવેદન સામે આવ્યું
- ભારત સાથે ચોક્સી સંદર્ભે જોડાણ 'બિલકુલ બકવાસ'
નવી દિલ્હીઃ ડોમિનિકાના વડાપ્રધાન રૂઝવેલ્ટ સ્ક્રિર્ટે (PM Roosevelt Skerrit) ભાગેડુ મેહુલ ચોક્સીના (Mehul Choksi) કથિત અપહરણમાં તેમની સરકારની સંડોવણી હોવાના દાવાઓને બિલકુલ બકવાસ કહીને નકારી દીધાં છે. સ્થાનિક મીડિયાના એક સમાચારમાં આ માહિતી આપવામાં આવી છે. પંજાબ નેશનલ બેંક (PNB) સાથે સંકળાયેલા 13,500 કરોડ રૂપિયાના કૌભાંડમાં વોન્ટેડ ડાયમંડ વેપારી મેહુલ ચોક્સીને 23 મેના રોજ એન્ટિગુઆ બાર્બુડાથી અપહરણ કરીને ડોમિનિકા લઈ જવામાં આવ્યો હતો.
2018થી ચોક્સી એન્ટિગુઆમાં રહેતો હતો
સ્ક્રિર્ટે (PM Roosevelt Skerrit) તેમના સાપ્તાહિક પ્રોગ્રામ 'એન્નો પૈલે' (ચાલો વાત કરીએ) માં કહ્યું હતું કે, સરકાર કોર્ટને ચોક્સી અંગેની કાર્યવાહી પૂર્ણ કરવાની મંજૂરી આપશે અને ખાતરી આપી હતી કે તેના અધિકારો અને ફરજોનો આદર કરવામાં આવશે. સમાચારો અનુસાર પડોશી દેશ એન્ટીગુઆ અને બાર્બુડાથી ચોક્સીના અપહરણ અંગે ભારત અને ડોમિનિકા સરકાર વચ્ચે કોઇ પણ જોડાણની વાતને સ્ક્રિર્ટેએ નકારી કાઢી છે. ચોકસી (Mehul Choksi) ભારતમાંથી ભાગી ગયા પછી 2018થી એન્ટિગુઆ અને બાર્બુડામાં રહેતો હતો.
ભારત સાથે સાંઠગાઠની વાત સંપૂર્ણ બકવાસ
ડોમિનિકા ન્યૂઝ ઓનલાઇન એ સમાચારમાં સ્ક્રિર્ટને (PM Roosevelt Skerrit) ટાંકીને કહ્યું છે કે, "ડોમિનિકા સરકાર અને એન્ટિગુઆ સરકાર સાથે ભારત સરકારના જોડાણના અહેવાલો સંપૂર્ણ બકવાસ છે." અમે કદી પોતાની જાતને આવા કૃત્યો, આવી પ્રવૃત્તિઓમાં શામેલ કરતા નથી. મારો મતલબ તે વાહિયાત છે અને અમે તેનો ઇનકાર કરીએ છીએ. તેમણે પૂછ્યું કે શું સ્થાનિક નાગરિક માટે ડોમિનિકામાં કોઈની હત્યા કરીને બીજા દેશમાં ભાગવું યોગ્ય રહેશે? તેને પકડવા અને આરોપોનો સામનો કરવા માટે તેને ડોમિનિકા પાછા મોકલવાને બદલે તેને મુક્ત રખડવાની છૂટ આપવી જોઈએ? સ્ક્રિર્ટે ચોક્સી સામેના આરોપોના સંદર્ભમાં અમેરિકા દ્વારા ડોમિનિકાના વોન્ટેડને ટાંક્યાં હતાં, જેની પ્રત્યાર્પણની કાર્યવાહી અદાલતોમાં ચાલી રહી છે. સ્ક્રિર્ટે કહ્યું કે દેશમાં કેટલા પૈસા છે તેના આધારે દેશ લોકો સાથે જુદી રીતે વર્તન કરી શકેે નહીં.