નવી દિલ્હી:રેલવે કર્મચારીઓની માનસિક સમસ્યાઓના ઉકેલ માટે ટૂંક સમયમાં ટોલ ફ્રી નંબર અને એપ લોન્ચ (Toll free number for solving mental problems of railway employees) કરવામાં આવશે. રેલ્વે કર્મચારીઓના સૌથી મોટા યુનિયન ઓલ ઈન્ડિયા રેલ્વેમેન ફેડરેશન (એઆઈઆરએફ)ના જનરલ સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રાએ ગુરુવારે જણાવ્યું હતું કે, યુનિયને દેશમાં 125 એવા લોકોની ઓળખ કરી છે જેમની પાસેથી માનસિક (mental problem) તણાવ વિશે વાત કરવા ઈચ્છતા કર્મચારીઓ સલાહ લઈ શકે છે.
વેબિનાર યોજાયો હતો :યુનિયન દ્વારા ગુરુવારે કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્યપર વેલબીઇંગ વેબિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મિશ્રાએ કહ્યું, ટૂંક સમયમાં એક ટોલ ફ્રી નંબર પણ શરૂ કરવામાં આવશે, જેના દ્વારા અમે કર્મચારીઓ અને તેમના પરિવારોને સીધી સલાહ પણ આપી શકીશું. અમે ટૂંક સમયમાં પોસ્ટરો અને અન્ય જાગૃતિ સામગ્રી પ્રકાશિત કરીશું.