કાનપુર:ઉત્તર પ્રદેશના મહાનગર કાનપુરમાંથી (Uttra Pradesh Mega City Kanpur) એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, માન્યમાં ન આવે. કાનપુર પાસે આવેલા બેકનગંજની સંપત્તિને પાકિસ્તાનના એક વ્યક્તિએ વર્ષ 1982માં મુખ્તાર બાબા નામના વ્યક્તિને સંપત્તિ વેચી (Illegally Property Sold) મારી હતી. આ વ્યક્તિની મંદિરના પરિસરમાં સાયકલ રિપેરિંગની એક દુકાન હતી. આબિદ રહમાન વર્ષ 1962માં પાકિસ્તાન ચાલ્યા (Roots from Pakistan) ગયા હતા. જ્યાં એમનો પરિવાર પહેલાથી જ વસવાટ કરતો હતો. તે મુખ્તારબાબાને સંપત્તિ વેચવા માટે કેટલોક સામાન પણ આપી ગયો હતો. પછી તેને કુલ 18 હિન્દુ પરિવારને ખદેડી (Forcefully Evacuated Hindu Families ) મૂક્યા હતા. પછી ત્યાં એક હોટેલ ઊભી કરી નાંખી હતી.
આ પણ વાંચો:બાળકી અંધશ્રદ્ધાનો ભોગ બની : ગોંડલમાં 2 માસની બાળકીને ડામ દીધાં, મામલો આમ આવ્યો બહાર
મંદિર વેચી નાંખ્યું: કાનપુર વહીવટી તંત્રને આ ચોંકાવનારા ખુલ્લાસામાં એક વાત એ પણ જાણવા મળી હતી કે મામલો શંકાશીલ છે. પાકિસ્તાની નાગરિકે રામ જાનકી મંદિર અને અન્ય કેટલીક સંપત્તિઓ વેચી નાંખી છે. આ જાણીને તંત્રના અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. પ્રોપર્ટી વિભાગની કચેરીએ એક મંદિર અને અન્ય બે સંપત્તિઓને શત્રુ સંપત્તિ રૂપે યાદીમાં મૂકી દીધી છે. આ માટે સંપત્તિ વિરૂદ્ધ કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જે લોકોએ મંદિર ખરીદ્યુ હતું, એ મંદિર તોડીને ત્યાં રેસ્ટોરન્ટ બનાવનારને પણ નોટીસ ફટકારવામાં આવી છે.