આગ્રા : ચાંદની રાતમાં પ્રેમની નિશાની એવા તાજમહેલને જોવા માટે દેશી-વિદેશી પ્રવાસીઓમાં (full moon at Taj Mahal) ઘણો ઉત્સાહ છે. ચંદ્રના કિરણોમાં અંજાયેલો તાજ એક અલગજ નજારો ફેલાવે છે. જેના કારણે તાજમાં જડેલા કિંમતી પથ્થરો ચમકે છે. આ દ્રશ્ય નિહાળવાનો પ્રવાસીઓમાં ઉત્સાહ હજાર ગણો વધી જાય છે, પરંતુ આ વખતે ચાંદની રાતમાં તાજમહેલ (full moon light on purnima ) જોવાની પ્રવાસીઓની ઈચ્છા અધૂરી રહેશે.
આ પણ વાંચો:Pakistan zindabad at Taj Mahal: તાજમહેલ ખાતે લાગ્યા 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા
રમઝાન મહિનામાં પહેલેથી જ તાજમહેલ રાત્રે 8 વાગ્યાથી 11.30 વાગ્યા સુધી ખુલે છે. તેથી પૂર્ણિમાના પાંચ દિવસ માટે તાજમહેલનું નાઇટ વિઝન (Taj Mahal Night Vision) પ્રવાસીઓને આપી શકાયુ નથી. દર મહિનાની પૂર્ણિમા પર પાંચ દિવસ માટે તાજમહેલના ચંદ્ર પ્રકાશ નિહાળવા માટે પ્રવેશ આપવામાં આવે છે. પૂર્ણિમાના બે દિવસ પહેલા અને બે દિવસ પછી તાજમહેલનો ચંદ્ર પ્રકાશ જોવા મળે છે.
2004 માં, સુપ્રીમ કોર્ટના આદેશ પર, ASIએ પ્રવાસીઓ માટે તાજમહેલનું નાઇટ વિઝન શરૂ કર્યું. ત્યારબાદ તાજમહેલના નાઇટ વિઝન માટે 8 સ્લોટ બનાવવામાં આવ્યા હતા. એટલે કે રાત્રે 8:30 થી 12:30 સુધી પ્રવાસીઓને 50-50 ના ગ્રુપમાં એન્ટ્રી આપવામાં આવતી હતી. તે દર મહિનાની પૂર્ણિમાના બે દિવસ પહેલા અને બે દિવસ પછી પ્રવાસીઓ રાત્રે તાજમહેલ જોઈ શકે છે.