ગુજરાત

gujarat

ETV Bharat / bharat

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવનું થયું નિધન

ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ યાદવનું આજે નિધન થયું છે(Mulayam Singh Yadav passes away). આજે સવારે 8.16 કલાકે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

By

Published : Oct 10, 2022, 9:45 AM IST

Updated : Oct 10, 2022, 10:32 AM IST

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવનું થયું નિધન
સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવનું થયું નિધન

ગુરુગ્રામઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે(Mulayam Singh Yadav passes away). મુલાયમ સિંહ યાદવે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં સવારે 8:16 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. મુલાયમ સિંહ યાદવને 22 ઓગસ્ટે મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 1 ઓક્ટોબરની રાત્રે ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. મેદાંતાની ડોક્ટરોની પેનલ મુલાયમ સિંહ યાદવની સારવાર કરી રહી હતી.

82 વર્ષે લિધા અંતિમ શ્વાસ મુલાયમ સિંહ યાદવ 82 વર્ષના હતા અને ઘણા સમયથી બીમાર હતા. મુલાયમ સિંહ યાદવને છાતીમાં ઈન્ફેક્શન, યુરિન ઈન્ફેક્શન અને શ્વાસ લેવામાં તકલીફને કારણે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Last Updated : Oct 10, 2022, 10:32 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details