લખનૌ:રામચરિતમાનસ પર સપા નેતા સ્વામી પ્રસાદ મૌર્ય દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને અત્યાર સુધી રાજકીય ગલિયારામાં વિરોધના અવાજો ઉઠી રહ્યા હતા. પરંતુ, ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં વિરોધ પ્રદર્શન વચ્ચે, સમર્થનના અવાજો પણ ઉઠવા લાગ્યા છે. લખનૌના PGI કોતવાલી વિસ્તારની વૃંદાવન યોજનામાં રામચરિત માનસની નકલો બાળવામાં આવી હતી.
આ પણ વાંચો:Firing on Naba das: ઓડિશાના આરોગ્ય પ્રધાનને પોલીસ અધિકારીએ ગોળી મારતા મૃત્યુ
જાતિઓ વિરુદ્ધ ખોટી વાતો:પૂર્વપ્રધાન સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થનમાં બહાર આવેલા અખિલ ભારતીય ઓબીસી મહાસભાના લોકોએ સનાતન ધર્મ સંસ્કૃતિ અને રામચરિત માનસના સર્જક મહાન કવિ તુલસીદાસ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. ઓલ ઈન્ડિયા ઓબીસી મહાસભાના દેવેન્દ્ર યાદવે કહ્યું કે, સ્વામી પ્રસાદ મૌર્યએ કંઈ ખોટું નથી કહ્યું. રામચરિત માનસમાં ઘણી જગ્યાએ જાતિઓ વિરુદ્ધ ખોટી વાતો લખવામાં આવી છે. તેમને તેમાંથી દૂર કરવા જોઈએ નહીંતર તેના પર પ્રતિબંધ મૂકવો જોઈએ.