ગુજરાત

gujarat

Rahul-Sonia Flight Emergency Landing: ટેકનિકલ ખામી ઊભી થતા ચાર્ટર્ડ ફ્લાઈટ ભોપાલ લેન્ડ કરાઈ

By

Published : Jul 19, 2023, 7:48 AM IST

રાહુલ અને સોનિયા ગાંધીની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું હતું. વિપક્ષની બેઠક કર્ણાટકમાં પૂરી કર્યા બાદ જ્યારે તેઓ દિલ્હી પરત ફરી રહ્યા હતા. એ સમયે આ લેન્ડિગ કરવામાં આવ્યું હતું. ચાર્ટર્ડ ફ્લાઈટમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે આ વિમાન મધ્ય પ્રદેશના મહાનગર ભોપાલમાં લેન્ડ કરાયું હતું.

Rahul-Sonia Flight Emergency Landing: ટેકનિકલ ખામી ઊભી થતા ચાર્ટર્ડ ફ્લાઈટ ભોપાલ લેન્ડ કરાઈ
Rahul-Sonia Flight Emergency Landing: ટેકનિકલ ખામી ઊભી થતા ચાર્ટર્ડ ફ્લાઈટ ભોપાલ લેન્ડ કરાઈ

ભોપાલઃબેંગ્લુરૂમાં યોજાયેલી વિપક્ષની બેઠક પૂરી કરીને સોનિયા ગાંધી અને રાહુલ જ્યારે દિલ્હી પરત આવી રહ્યા હતા. એ સમયે વિમાનમાં કોઈ ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. જેના કારણે મધ્ય પ્રદેશના ભોપાલમાં આવેલા રાજાભોજ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિગ કરવાની ફરજ પડી હતી. એરપોર્ટના અધિકારીઓએ કહ્યું હતું કે, જ્યારે કોંગ્રેસના મોટા નેતાના વિમાનનું ઈમરજન્સી લેન્ડિગ કરવામાં આવ્યું છે એ જાણકારી પ્રાપ્ત થતા ટીમ એલર્ટ થઈ ગઈ હતી. જ્યારે ભોપાલમાંથી કોંગ્રેસના મોટા નેતાઓ યુદ્ધના ધોરણે એરપોર્ટ પહોંચી ગયા હતા.

ઈન્ડિગોમાં દિલ્હીઃસોનિયા અને રાહુલ પછી 9.30 વાગ્યે રાતની ઈન્ડિગોની ફ્લાઈટથી દિલ્હી પહોંચી ગયા હતા. વિરોધ પક્ષોની 'ભારત' દાવ ભાજપને પડકારવા તૈયાર છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ 'ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ' (ઇન્ડિયા) નામના વિપક્ષી પાર્ટીઓના નવા ગઠબંધન વિશે કહ્યું કે, હવે લડાઈ 'ભારત અને નરેન્દ્ર મોદી' વચ્ચે છે અને કોણ જીતશે તે કહેવાની જરૂર નથી. તેમણે એમ પણ કહ્યું કે, જ્યારે પણ કોઈ ભારત સામે ઊભું હોય ત્યારે કોણ જીતે છે તે કહેવાની જરૂર નથી.

દેશના અવાજની લડાઈઃ26 વિપક્ષી દળોની બેઠક બાદ અહીં પત્રકારો સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, "જ્યારે અમે ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે અમે અમારી જાતને પ્રશ્ન પૂછ્યો કે લડાઈ કોની વચ્ચે છે. આ લડાઈ વિપક્ષ અને ભાજપ વચ્ચે નથી. દેશ કી અવાજને દબાવવામાં આવી રહ્યો છે.

ભાજપના વારઃ કચડી નાખ્યું. આ દેશના અવાજ માટેની લડાઈ છે. તેથી જ ભારત નામ પસંદ કરવામાં આવ્યું છે." જોકે, આ સમગ્ર માહોલને ધ્યાને લેતા ભાજપે આ સમગ્ર જુથને ઠગબંધન કહી દીધુ હતું. આ પહેલા જ્યારે બિહારના મહાનગર પટણામાં જ્યારે વિપક્ષ જુથની બેઠક મળી હતી એ સમયે વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, બધા ચોર, ભ્રષ્ટાચારીઓ એકઠા થયા છે.

  1. NDA Meeting : PM મોદીએ કહ્યું- NDA એ અટલજીનો વારસો છે, અમે દેશના વિકાસમાં રોકાયેલા છીએ
  2. Delhi News : PM મોદીએ વિપક્ષી એકતા પર પ્રહારો કર્યા, બેઠકને કહ્યું ભ્રષ્ટાચારીઓનું સંમેલન

ABOUT THE AUTHOR

...view details