ગુજરાત

gujarat

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 4:57 PM IST

ETV Bharat / bharat

Priyanka Gandhi in Madhya Pradesh: પ્રિયંકા ગાંધીએ મધ્ય પ્રદેશના આદિવાસીઓ માટે કરી વિશિષ્ટ જાહેરાતો, ભાજપ પર કર્યા વાકપ્રહાર

કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ પ્રિયંકા ગાંધી મધ્ય પ્રદેશના પ્રવાસે છે. તેમણે પ્રદેશના આદિવાસીઓના કલ્યાણ માટે મોટી જાહેરાતો કરી છે. વાંચો પ્રિયંકા ગાંધીના મધ્ય પ્રદેશ પ્રવાસ વિશે વિગતવાર

પ્રિયંકા ગાંધીએ મધ્ય પ્રદેશના આદિવાસીઓ માટે કરી વિશિષ્ટ જાહેરાતો
પ્રિયંકા ગાંધીએ મધ્ય પ્રદેશના આદિવાસીઓ માટે કરી વિશિષ્ટ જાહેરાતો

મંડલાઃ પ્રિયંકા ગાંધી હાલ મધ્ય પ્રદેશના પ્રવાસે છે. તેમણે મહાકૌશલ ખાતે મંડલામાં એક જનસભાને સંબોધન કર્યુ હતું. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ રહે છે. તેમણે કૉંગ્રેસની અનેક જાહેરાતોની અહીં પુનઃઘોષણા કરી હતી. જો કૉંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું દેવુ માફ કરવાની જાહેરાત કરી હતી. 100 રૂપિયામાં 100 યુનિટ વીજળી મળશે તેમજ 200 યુનિટ વીજળી ફ્રી મળશે. ખેડૂતોને ખેતી માટે 5 હોર્સ પાવર વીજળી ફ્રી મળશે. ઓલ્ડ પેન્શન સ્કીમને અમલી કરવામાં આવશે. ગેસ સિલિન્ડરની કિંમત 500 રૂપિયા કરી દેવાશે. દર મહિને કૉંગ્રેસ મહિલાઓના ખાતામાં 1500 રૂપિયા જમા કરશે. દરેક વિદ્યાર્થીને ધોરણ 1થી 12 સુધીનું શિક્ષણ પઢો ઔર પઢાઓ યોજના અંતર્ગત નિઃશુલ્ક પૂરુ પાડવામાં આવશે.

તેંદુપત્તા વીણતાં મજૂરોને લાભઃ પ્રિયંકા ગાંધીએ આદિવાસીઓ માટે અનેક લાભોની જાહેરાત કરી છે. તેમણે વર્તમાન સરકાર પર વાકપ્રહાર કરતા કહ્યું હતું કે તેંદુપત્તા વીણતાં આદિવાસીઓનો હક છીનવાઈ રહ્યો છે. મધ્ય પ્રદેશમાં તેંદુપત્તાના યોગ્ય ભાવ મળી રહ્યા નથી. કૉંગ્રેસ તેંદુપત્તા પર જે બોનસ આપતી હતી તે ભાજપ સરકારે બંધ કરી દીધું છે. જો કૉંગ્રેસની સરકાર બનશે તો તેંદુપત્તાની દરેક બોરીની કિંમત 4 રુપિયા કરવામાં આવશે. તેમજ આ પત્તા વીણતા આદિવાસીઓને બોનસ પણ આપવામાં આવશે. છત્તીસગઢની જેમ મધ્ય પ્રદેશમાં પેસા એક્ટ લાગુ કરવામાં આવશે.

જાતિ આધારિત વસ્તી ગણતરીઃ પ્રિયંકા ગાંધીએ પોતાના સંબોધનમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો આવરી લીધો હતો. પ્રિયંકાએ ભાજપ સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરીના વિરોધમાં હોવાનું જણાવ્યું હતું. જો કૉંગ્રેસની સરકાર બનશે તો જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવામાં આવશે. મધ્ય પ્રદેશમાં ઓબીસી આરક્ષણ 27 ટકા આપવામાં આવશે. તેમજ છઠ્ઠી અનુસૂચિ પણ લાગુ કરવામાં આવશે. એસસી અને એસટીના દરેક પદ પર ભરતી કરવામાં આવશે. પીએમ આવાસ યોજના અંતર્ગત ગામ અને શહેરમાં આપવામાં આવતી રકમ એક સમાન કરવામાં આવશે.

ખરાબ માર્ગોથી પ્રજા બેહાલઃ પોતાના સંબોધનમાં પ્રિયંકા ગાંધીએ મધ્ય પ્રદેશના ખરાબ માર્ગો સંદર્ભે રાજ્ય સરકાર પર વાકપ્રહાર કર્યા છે. મંડલા અને જબલપુર વચ્ચેનો માર્ગ ભાજપના ભ્રષ્ટાચારનો નમૂનો છે. આ માર્ગ માટે કેન્દ્રીય માર્ગ પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ જાહેરમાં માફી પણ માંગી છે. તેંદુપત્તા વીણતા આદિવાસીઓને બોનસના બદલમાં બૂટ, ચંપલ અને છત્રીઓ વહેચવામાં આવે છે. જેમાં ભાજપના મળતીયાઓનું કમિશન હોય છે. જો કૉંગ્રેસ સરકાર બનશે તો આ વસ્તુઓને બદલે આદિવાસીઓને બોનસ આપવામાં આવશે.

  1. નવરાત્રિમાં કૉંગ્રેસ-AAPના નેતાઓ આવશે ગુજરાત, બોલાવશે દાંડિયાની રમઝટ
  2. કોંગ્રેસના રોડ શોમાં પ્રિયંકા ગાંધી અને ભાજપના કાર્યકરો આમને-સામને, થયું કંઈક આવું જૂઓ

ABOUT THE AUTHOR

...view details