- કોરોના કાળ બાદ પ્રથમ વખત વિદેશ પ્રવાસ પર જશે વડાપ્રધાન મોદી
- વડાપ્રધાન મોદી 26 અને 27 માર્ચના રોજ બાંગ્લાદેશના પ્રવાસ પર જશે
- બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના સાથે મુલાકાત કરશે
નવી દિલ્હી: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના નિમંત્રણ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 26 અને 27 માર્ચના રોજ બાંગ્લાદેશના પ્રવાસ પર જશે.
વડાપ્રધાને છેલ્લે 2015માં બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી
આમાં મુજીબ બોરશો, શેખ મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દી, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાના 50 વર્ષ અને બાંગ્લાદેશની મુક્તિ યુદ્ધના 50 વર્ષનાં સંસ્મરણો શામેલ છે. વડાપ્રધાને છેલ્લે 2015માં બાંગ્લાદેશની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન 26 માર્ચે બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ કાર્યક્રમમાં સન્માનિત મહેમાન તરીકે હાજરી આપશે.
આ પણ વાંચો:વડાપ્રધાન મોદી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બનેલા 'મૈત્રી સેતુ' નું આજે ઉદ્ઘાટન કરશે