- વડાપ્રધાન મોદી (Prime Minister Narendra Modi)એ જમ્મુ-કાશ્મીરના 14 રાજકીય દળો (14 political forces of Jammu and Kashmir)ના નેતાઓ સાથે મુલાકાતનો ઉલ્લેખ RSS સાથે જોડાયેલી એક પત્રિકામાં કરાયો
- RSS સાથે જોડાયેલી પત્રિકા ઓર્ગેનાઈઝરના સંપાદકીય (Organizer's Editorial)માં આ બેઠકને એક રચનાત્મક પહેલ કહેવામાં આવી હતી
- નવી બેઠકો માટે સીમાંકનનું કામ ચાલુ છે, સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકાર રાજકીય દળોને આ પ્રક્રિયાનો ભાગ બનાવવા માગે છેઃ સંપાદકીય
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ હાલમાં જ જમ્મુ-કાશ્મીરના 14 રાજકીય દળો (14 political forces of Jammu and Kashmir)ના નેતાઓ સાથે મુલાકાત કરી હતી, જેની ચારે તરફ ચર્ચા થઈ રહી છે. જોકે, હવે આ અંગે RSS સાથે જોડાયેલી એક પત્રિકા ઓર્ગેનાઝરના સંપાદકીય (Organizer's Editorial)માં પણ વાત કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે, આ બેઠક એક રચનાત્મક પહેલ હતી. આ સાથે જ નવી બેઠકોનું સીમાંકનનું કામ ચાલુ છે. સ્વાભાવિક રીતે કેન્દ્ર સરકાર રાજકીય દળોને આ પ્રક્રિયાનો ભાગ બનાવવા માગે છે. આમાં કહેવામાં આવ્યું છે કે, ચૂંટણી આયોગ આ કાર્ય કરી રહ્યું છે અને તેઓ (રાજકીય દળો) સૂચનો આપી શકે છે અને વાંધો પણ વ્યક્ત કરી શકે છે.
આ પણ વાંચો-જમ્મુ-કાશ્મીરના નેતાઓને ચૂંટણીના આશ્વાસન સાથે વડાપ્રધાનની સર્વપક્ષીય બેઠક સમાપ્ત
ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખતા સજાગ રહેવાની જરૂરઃ સંપાદકીય
આ સંપાદકીય અનુસાર, આવું કરતા સમયે આપણે ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં રાખતા સજાગ રહેવાની જરૂર છે. બેવડી વાત કરવા, પાકિસ્તાનનના વલણને અનુસરવા અને જમ્મુ વિસ્તારના અધિકારીઓને નકારવાની જૂની આદત આટલી જલદી નહીં જાય. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જા (Special status of Jammu and Kashmir)ને સમાપ્ત કરવા અને તેને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવાના બે વર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)એ જમ્મુ-કાશ્મીરના પ્રમુખ રાજકીય દળો (Major political forces of Jammu and Kashmir)ના નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને જમીની સ્તર પર લોકતંત્રને મજબૂત બનાવવાની કેન્દ્રની પ્રાથમિકતા અંગે તેમને જાણ કરી હતી. આ માટે સીમાંકનને જરૂરી ગણાવ્યું હતું.