ગુજરાત

gujarat

By

Published : Feb 14, 2021, 2:04 PM IST

ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીનો તમિલનાડુનો પ્રવાસ, કહ્યું- રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે ભારત

વડાપ્રધાન મોદી નરેન્દ્ર મોદી ચેન્નઇ પહોંચ્યા હતા. વડાપ્રધાને અર્જુન મુખ્ય યુદ્ધક ટેન્ક (MK-1A) સેનાને સોપી દીધી છે. આ સિવાય મેટ્રો સાથે જોડાયેલી પરિયોજનાનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. આ પ્રસંગે સંબોધન કરતા મોદીએ કહ્યું હતું કે, ભારત હવે રક્ષા ક્ષેત્રમાં આત્મનિર્ભર બની રહ્યું છે. તેમણે કહ્યું કે, દેશના એવા તમિલ લોકો શ્રીલંકામાં રહે છે, તેઓના વિકાસ માટે પણ કામ કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઇએ કે, તમિલનાડુ અને કેરલમાં આ એપ્રિલ-મે મહિનામાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. જેને લઇને વડાપ્રધાન તમિલનાડુનો પ્રવાસ પણ કરી ચૂક્યા છે.

વડાપ્રધાન મોદીનો તમિલનાડુનો પ્રવાસ
વડાપ્રધાન મોદીનો તમિલનાડુનો પ્રવાસ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમિલનાડુ અને કેરળના પ્રવાસે
  • તમિલનાડુમાં અર્જુન મુખ્ય યુદ્ધક ટેન્કનું લોકાર્પણ
  • સંબોધન કાર્યક્રમમાં પુલવામા હુમલાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી

ચેન્નઇઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નઇમાં અર્જુન મુખ્ય યુદ્ધક ટેન્ક (MK-1A) સેનાને સોંપી દીધી છે. વડાપ્રધાન મોદી રાજ્ય સરકારના કાર્યક્રમમાં સામેલ થયા હતા. મોદીએ ઇન્ડોર સ્ટેડિયમમાં આયોજિત કાર્યક્રમમાં એમજી રામચંદ્રન અને પૂર્વ સીએમ જયલલિતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડાપ્રધાને તમિલનાડુમાં વિકાસ પરિયોજનનાનું લોકાપર્ણ પણ કર્યું હતું. મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકારે તમિલોના હિતનો મુદ્દો શ્રીલંકાની સરકાર સામે મજબૂત રીતે ઉઠાવ્યો છે.

મોદીએ સ્થાનિય ભાષામાં લોકોનું અભિવાદન કર્યું

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત દેશની અખંડતા સાથે કોઇ સમજૂતી નહીં કરે. મોદીએ તમિલનાડુના લોકોને સ્થાનીય ભાષામાં ‘વન્નકમ ચેન્નઇ, વન્નકમ તમિલનાડુ’ બોલીને અભિવાદન પાઠવ્યું હતું. તેમણે ખેડૂતોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તમિલનાડુના લોકોએ અન્ન ઉત્પાદનમાં ઉલ્લેખનીય યોગદાન આપ્યું છે. તેમણે કહ્યું કે, ચેન્નઇ મેટ્રોનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે. આ વર્ષના બજેટમાં પ્રોજેક્ટના બીજા તબક્કામાં 63,000 કરોડથી વધારે રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

પુલવામાં એટેકમાં શહીદ થયેલા જવાનોને યાદ કર્યા

વડાપ્રધાને પુલવામા હુમલામાં શહીદ થયેલા જવાનોને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે, 2 વર્ષ પહેલા પુલવામામાં હુમલો થયો હતો. જેમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપણને આપણા સુરક્ષા દળો પર ગર્વ છે. તેમની બહાદુરીઓથી પ્રેરણા મળતી રહે છે.

ABOUT THE AUTHOR

...view details