ગુજરાત

gujarat

By

Published : Apr 10, 2023, 3:56 PM IST

ETV Bharat / bharat

Vande Bharat: દક્ષિણ ભારતને ફરી એકવાર વંદે ભારત ટ્રેનની ભેટ મળી, PM મોદીએ ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારતને લીલી ઝંડી બતાવી

PM મોદીએ તમિલનાડુને ભેટ આપી છે. ભેટ આપતા વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેનના કારણે મુસાફરોને ઘણો ફાયદો થશે. ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર, પીએમ મોદીએ તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, રેલ્વેપ્રધાન અશ્વિની વૈષ્ણવની હાજરીમાં દેશની 13મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ ટ્રેન દ્વારા ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચેની 495.28 કિલોમીટરની મુસાફરી માત્ર 5 કલાક 50 મિનિટમાં પૂર્ણ થશે.

Vande Bharat દક્ષિણ ભારતને ફરી એકવાર વંદે ભારત ટ્રેનની ભેટ મળી
Vande Bharat દક્ષિણ ભારતને ફરી એકવાર વંદે ભારત ટ્રેનની ભેટ મળી

નવી દિલ્હી: વંદે ભારત ટ્રેન એ કેન્દ્રની મોદી સરકારની સૌથી મહત્વકાંક્ષી યોજનાઓમાંની એક છે. ભારતીય રેલ્વે આ ટ્રેનનું વિસ્તરણ વધારવા માટે સતત પ્રયાસ કરી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સતત આ પ્રોજેક્ટને વેગ આપતા નજરે પડે છે. વંદે ભારત ટ્રેનના કારણએ અનેક લોકોને ફાયદો થાશે. તારીખ 8 એપ્રિલ અને શનિવારના ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત ફ્લેગ ઓફ ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારતને ફ્લેગ ઓફ મોદીએ કર્યું છે.

સમય એક કલાક ઓછો: ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારત ફ્લેગ ઓફ ચેન્નાઈ-કોઈમ્બતુર વંદે ભારતને ફ્લેગ ઓફ કર્યું છે. આ ટ્રેન દ્વારા તમિલનાડુના બે શહેરો ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચેનો મુસાફરીનો સમય એક કલાક ઓછો થઈ જશે.આ પહેલા પીએમ મોદીએ સિકંદરાબાદ-તિરુપતિ (સિકંદરાબાદ-તિરુપતિ વંદે ભારત ટ્રેન) વચ્ચેની 12મી વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી બતાવી હતી. આ ટ્રેન લોકોને મુસાફરી કરવા માટે મદદરૂપ બનશે.

આ પણ વાંચો Delhi Tribal Festival: દિલ્હીમાં 100 રૂપિયામાં વેચાઈ રહી છે કીડીની ચટણી, જાણો તેની પાછળનું કારણ

PM મોદીએ લીલી ઝંડી બતાવી:ચેન્નાઈ સેન્ટ્રલ રેલ્વે સ્ટેશન પર, પીએમ મોદીએ તમિલનાડુના મુખ્યપ્રધાન એમકે સ્ટાલિન, રેલ્વેપ્રધાન અશ્વિની વૈષ્ણવની હાજરીમાં દેશની 12 મી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ ટ્રેન દ્વારા ચેન્નાઈ અને કોઈમ્બતુર વચ્ચેની 495.28 કિલોમીટરની મુસાફરી માત્ર 5 કલાક 50 મિનિટમાં પૂર્ણ થશે. આ કિસ્સામાં, બંને શહેરો વચ્ચે મુસાફરીના સમયમાં 1 કલાક 20 મિનિટનો ઘટાડો થશે. આ સેમી હાઈ સ્પીડ ટ્રેન 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. હવે દેશમાં કુલ 12 વંદે ભારત એક્સપ્રેસ દોડશે.

આ પણ વાંચો BJP PARLIAMENTARY MEETING: PM મોદીએ બજેટની જોગવાઈઓને લોકો સુધી પહોંચાડવા આહ્વાન કર્યું

વંદે ભારત એક્સપ્રેસ રૂટ:નવી દિલ્હી-વારાણસી વંદે ભારત એક્સપ્રેસ, ગાંધીનગર-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ, નવી દિલ્હી-શ્રી માતા વૈષ્ણો દેવી કટરા વંદે ભારત એક્સપ્રેસ, ભોપાલ-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ, નવી જલપાઈગુડી - હાવડા વંદે ભારત એક્સપ્રેસ, ચેન્નાઈ સેન્ટ્રલ-મૈસુર વંદે ભારત એક્સપ્રેસ, બિલાસપુર-નાગપુર વંદે ભારત એક્સપ્રેસ, સિકંદરાબાદ-વિશાખાપટ્ટનમ વંદે ભારત એક્સપ્રેસ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)-શિરડી વંદે ભારત એક્સપ્રેસ, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (મુંબઈ)-સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ, અંબ અંદૌરા-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ છે. ઉલ્લેખનીય છે આ તમામ ટ્રેનના કારણે લોકોને મુસાફરી આસાન થશે.

ABOUT THE AUTHOR

...view details