- કેરળમાં પૂર અને ભૂસ્ખલનની પ્રક્રિયા હજુ પણ યથાવત
- અત્યાર સુધીમાં કુલ 23 લોકોના મોત, સંખ્યાબંધ લોકો ગુમ
- PM મોદીએ કેરળના CM સાથે વાત કરી પરિસ્થિતિનો તાગ મેળવ્યો
તિરૂવનંતપુરમ: કેરળમાં શનિવારે પડેલા ભારે વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી પરિસ્થિતિ ઉદ્ભવી છે. પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 23 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. કોટ્ટાયમ અને ઈડુક્કી જિલ્લામાં થયેલા ભૂસ્ખલનમાં ઘણાબધા લોકો હજુ પણ ગુમ છે. સેના અને NDRF દ્વારા રવિવારે સવારથી રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કેરળના મુખ્યપ્રધાન પિન્નારઈ વિજયન સાથે વાત કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને પીડિતો પ્રત્યે સંવેદના દાખવીને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કેરળની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
સમાચાર એજન્સી ANIના જણાવ્યા પ્રમાણે, કોટ્ટાયમ જિલ્લામાં 8 અને ઈડુક્કી જિલ્લામાં અત્યાર સુધી કુલ 8 લોકોના મોત નિપજ્યા છે. જોકે, સ્થાનિક મીડિયા અનુસાર કુલ મૃત્યુઆંક 23 સુધી પહોંચ્યો છે.
વડાપ્રધાન મોદીએ કર્યું ટ્વીટ