ગુજરાત

gujarat

TOP NEWS: પીએમ મોદી આજે G- 20 અસાધારણ નેતાઓ સમિટમાં ભાગ લેશે, અરવિંદ કેજરીવાલ પંજાબના જલંધરની મુલાકાત લેશે. આ અને અન્ય તમામ મહત્વપૂર્ણ સમાચાર, વાંચો માત્ર એક ક્લિકમાં...

By

Published : Oct 12, 2021, 6:00 AM IST

આજના એ સમાચાર જેના પર તમારી નજર બની રહેશે અને ગઈકાલના એ સમાચાર જેના વિશે તમે જરૂર વાંચવા ઈચ્છશો. ETV Bharat ના ગઈકાલના અને આજના મુખ્ય સમાચાર અને એક્સપ્લેનર્સ વાંચો એક ક્લિકમાં...

NEWS TODAY
NEWS TODAY

  • આજના એ સમાચાર, જેના પર તમારી નજર રહેશે...

1 પીએમ મોદી આજે G- 20 અસાધારણ નેતાઓની સમિટમાં ભાગ લેશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 મી ઓક્ટોબરે અફઘાનિસ્તાન પર આગામી G- 20 અસાધારણ નેતાઓ સમિટમાં વર્ચ્યુઅલ ફોર્મેટમાં ભાગ લેશે. આ સમિટ G20 ઇટાલિયન પ્રેસિડેન્સી દ્વારા બોલાવવામાં આવી રહી છે. આ સાથે જ આજે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 28 માં NHRC સ્થાપના દિવસના કાર્યક્રમમાં પણ હાજરી આપશે.

2 દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ આજે પંજાબના જલંધરની મુલાકાત લેશે

2022 માં પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટી (આપ) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ આજે પંજાબના જલંધરની મુલાકાત લેશે.

  • ગઈકાલના એ સમાચાર જે તમને વાંચવા ગમશે...

1 ગાંધીનગર કોર્ટે તરછોડાયેલા બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતના 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા

આરોપી સચિન દિક્ષિતને ગાંધીનગરની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ગઈકાલે 14 ઓક્ટોબર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને બાળકને ઓઢવ શિશુગૃહમાં મોકલવામાં આવ્યો હતો.click here

2 વડાપ્રધાન મોદીએ 'ઇન્ડિયન સ્પેસ એસોસિએશન'ની શરૂઆત કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ગઈકાલે ઇન્ડિયન સ્પેસ એસોસિએશન (ISPA) નું લોકાર્પણ કર્યું હતું. ISPA એ અવકાશ અને ઉપગ્રહ કંપનીઓનું અગ્રણી ઉદ્યોગ સંગઠન છે, જે ભારતીય અવકાશ ઉદ્યોગનો સામૂહિક અવાજ બનવાની આકાંક્ષા રાખે છે. click here

3 જમ્મુ-કાશ્મીર: આંતકવાદીઓ સાથેની અથડામણમાં JCO સહિત સેનાના 5 જવાન શહીદ

જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં ગઈકાલે સર્ચ ઑપરેશન દરમિયાન આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં જુનિયર કમિશ્ડ ઓફિસર સહિત સેનાના 5 જવાનો શહીદ થયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. click here

4 Nobel in Economics: ત્રણ લોકોને સંયુક્ત પણે મળ્યો પુરસ્કાર

અમેરિકાના ડેવિડ કાર્ડ (David Card), જોશુઆ ડી.એંગ્રિસ્ટ(Joshua D. Angrist) અને ગુઈડો ડબલ્યુ. ઈમ્બેન્સ(Guido W. Imbens) ને અર્થશાસ્ત્રના 2021નો નોબેલ પુરસ્કાર (Nobel in Economics) આપવા માટે ગઈકાલે જાહેર કરવામાં આવ્યા હતા. click here

  • exclusive:

2022 વિધાનસભામાં જીત મેળવવી જ મુખ્ય લક્ષ્યાંક: ગુજ. કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા

ગુજરાત કોંગ્રેસના નવનિયુક્ત પ્રભારી રઘુ શર્માએ પદ સંભાળ્યા બાદ ગુજરાત પ્રવાસે આવેલા આવેલા રઘુ શર્માએ ઇટીવી ભારત સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે, આગામી વર્ષ 2022 ની ચૂંટણી માટે કોંગ્રેસમાં મોટા ફેરબદલ કરવામાં આવશે. જે બાદ 2022 વિધાનસભા ચૂંટણીનાં લક્ષ્યાંક સાથે અત્યારે ગુજરાત કોંગ્રેસમાં કામ કરવામાં આવી રહ્યું છે. click here

  • Sukhibhava:

આ તહેવારોની સિઝનમાં રાખો સાવધાની

કોવિડ -19 ની ત્રીજી લહેરની ચિંતા વચ્ચે તહેવારોની સિઝન આવી ગઈ છે. ગણપતિ બાપ્પાનું આગમન થયું છે. બજારો ખીચોખીચ ભરેલા છે, પરંતુ તહેવારની ખુશી વચ્ચે સાવધાની ન છોડવી ખૂબ જ જરૂરી છે. વળી, બાપ્પાને આવકારવા માટે ઘર હોય કે પંડાલ હોય, તમામ સ્થળોએ કોરોના પ્રોટોકોલ હેઠળ સુરક્ષા ધોરણોનું ધ્યાન રાખવું જોઈએ. click here

ABOUT THE AUTHOR

...view details