ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગૃહપ્રધાન અમિત શાહે સૈનિકોની શહાદત પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું, - રાષ્ટ્ર બલિદાનને ભૂલશે નહીં

ગૃહપ્રધાન અમિત શાહે એન્કાઉન્ટરમાં 8 જવાનોની શહાદત પર દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ તકે કહ્યું કે, શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો સામે આપણી લડત ચાલુ રહેશે.

By

Published : Apr 4, 2021, 1:22 PM IST

ગૃહપ્રધાન અમિત શાહે સૈનિકોની શહાદત પર દુ:ખ વ્યક્ત
ગૃહપ્રધાન અમિત શાહે સૈનિકોની શહાદત પર દુ:ખ વ્યક્ત

  • નક્સલવાદીઓ સામેના એન્કાઉન્ટરમાં 8 જવાનો શહીદ
  • CRPFના ડીજી કુલદીપ સિંહ રવિવારે સવારે છત્તીસગઢ પહોંચ્યા
  • શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો સામે આપણી લડત ચાલુ રહેશે: અમિત શાહ

નવી દિલ્હી:ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે છત્તીસગઢના સુકમા-બીજાપુર બોર્ડર પર નક્સલવાદીઓ સામેના એન્કાઉન્ટરમાં 8 જવાનોની શહાદત પર દુ:ખ વ્યક્ત કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે શનિવારે સાંજે છત્તીસગઢના મુખ્યપ્રધાન સાથે વાત પણ કરી હતી. પરિસ્થિતિને જાણવા માટે અમિત શાહે CRPFના ડાયરેક્ટર જનરલને છત્તીસગઢ પહોંચવા સૂચના આપી હતી. પરિસ્થિતિને જાણવા CRPFના ડીજી કુલદીપ સિંહ આજે રવિવારે સવારે છત્તીસગઢ પહોંચ્યા હતા.

આ પણ વાંચો:છત્તીસગઢ : પોલીસ અને નક્સલીઓ વચ્ચે ઘર્ષણમાં બે નક્સલ ઠાર, એક જવાન શહીદ

દુશ્મનો સામે આપણી લડત ચાલુ રહેશે

આ તકે ગૃહપ્રધાને ટ્વિટ કર્યું હતું કે, તેઓ છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે લડતા-લડતા શહીદ થયેલા બહાદુર સુરક્ષા જવાનોના બલિદાનને સલામ છે. રાષ્ટ્ર તેની બહાદુરીને ક્યારેય ભૂલશે નહીં. આ સાથે તેમણે, શહીદ જવાનોના પરિવારજનો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે, શાંતિ અને પ્રગતિના આ દુશ્મનો સામે આપણી લડત ચાલુ રહેશે.

આ પણ વાંચો:છત્તીસગઢમાં નક્સલી હુમલામાં નવ જવાનો શહીદ, 31 ઇજાગ્રસ્ત અને 21 લાપતા

વડાપ્રધાન મોદીએ પણ શોક વ્યક્ત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એન્કાઉન્ટરમાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું હતું કે, "મારી સંવેદના છત્તીસગઢમાં નક્સલવાદીઓ સામે લડતા શહીદ થયેલા સૈનિકોના પરિવારજનો સાથે છીએ." બહાદુર શહીદોના બલિદાનને ક્યારેય ભૂલી શકાય નહીં. હું ઈચ્છું છું કે ઘાયલ સૈનિકો વહેલી તકે સ્વસ્થ થાય. "

નક્સલવાદીઓએ મોર્ટાર લોન્ચરથી સૈનિકો પર હુમલો કર્યો હતો

બીજપુર એન્કાઉન્ટર પર પ્રતિક્રિયા આપતા છત્તીસગઢના ગૃહપ્રધાન તામ્રધ્વજ સાહુએ કહ્યું કે, નક્સલવાદીઓએ મોર્ટાર લોન્ચરથી સૈનિકો પર હુમલો કર્યો હતો. સાહુ કહે છે કે, નક્સલવાદીઓએ મોર્ટાર લોન્ચર તેમજ આધુનિક શસ્ત્રોથી હુમલો કર્યો હતો. તે જ સમયે, બસ્તરના IG પી.સુંદરરાજે દાવો કર્યો કે, આ એન્કાઉન્ટરમાં એક મહિલા નક્સલવાદી સહિત 9 માઓવાદીઓ માર્યા ગયા છે. સુંદરરાજ કહે છે કે, આ કાર્યવાહીમાં 15 જેટલા નક્સલીઓ ઇજાગ્રસ્ત થયા છે. એક મહિલા નક્સલીનો મૃતદેહ મળી આવ્યો છે.

હુમલામાં નક્સલવાદીઓને ઘણું નુકસાન થયું

નક્સલ વિરોધી ઝુંબેશમાં બીજપુરના તારારમથી 760, ઉસુરથી 200, પેમેડથી 195, સુકમાના મીનાપાથી 483, નરસાપુરમથી 420 જવાનોનો દળ નીકળી ગયા હતા. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે, આ હુમલામાં નક્સલવાદીઓને ઘણું નુકસાન થયું છે. અત્યાર સુધીની માહિતી મુજબ સ્થળ પરથી એક નક્સલવાદીનો મૃતદેહ મળી આવ્યો છે. અનેક નકસલવાદીઓના મૃતદેહના ઢગલા થયા હોવાના પણ સમાચાર છે.

ABOUT THE AUTHOR

...view details