- કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પાર્ટીના નિરીક્ષક તરીકે ઉત્તરાખંડ જઈ રહ્યા છે
- હું ધારાસભ્ય પક્ષની બેઠકમાં ભાગ લેવા ઉત્તરાખંડ જાઉં છુંઃ નરેન્દ્રસિંહ તોમર
- ચૂંટણી પંચને ચૂંટણીઓ યોજવી મુશ્કેલ બની હતી
નવી દિલ્હી: ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત (State Chief Minister Tirath Singh Rawat)ના રાજીનામા(resignation) બાદ નવા મુખ્યપ્રધાનની પસંદગી માટે આજે (શનિવારે) બપોરે 3 વાગ્યે વિધાનસભાની બેઠક યોજાશે. આ માટે કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર (Union Minister Narendra Singh Tomar) ઉત્તરાખંડ જવા રવાના થયા છે. મુખ્યપ્રધાન રાવતે (CM rawat)ગઈકાલે (શુક્રવારે) ઉત્તરાખંડના રાજ્યપાલ બેબી રાની મૌર્ય(Uttarakhand Governor Baby Rani Maurya)ને રાજીનામું આપ્યું હતું.
આ પણ વાંચોઃઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે રાજ્યપાલ બેબી રાની મૌર્યને આપ્યું રાજીનામુ
નરેન્દ્રસિંહ તોમર ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ભાગ લેશે
કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર(Narendra Singh Tomar) ઉત્તરાખંડ(Uttarakhand) જવા માટે દિલ્હીના પોતાના ઘરેથી નીકળી ગયા છે. પાર્ટીના નિરીક્ષક તરીકે તે ઉત્તરાખંડ જઈ રહ્યા છે. નરેન્દ્રસિંહ તોમર ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ભાગ લેશે.
તોમરને ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાનની પસંદગી માટે કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે
ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર(Narendra Singh Tomar) ને તાત્કાલિક દિલ્હી બદલી કરવામાં આવ્યા છે. તેમણે આ સંદર્ભે કહ્યું હતું કે, હું ધારાસભ્ય પક્ષની બેઠકમાં ભાગ લેવા ઉત્તરાખંડ જાઉં છું. તોમરને ઉત્તરાખંડમાં મુખ્યપ્રધાનની પસંદગી માટે કેન્દ્રીય નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે આપ્યું રાજીનામું
શુક્રવારે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવત(State Chief Minister Tirath Singh Rawat) રાજ્યપાલ બેબી રાની મૌર્યને મળ્યા અને રાજીનામું આપ્યું હતું. હવે આજે (શનિવારે) ભારતીય જનતા પાર્ટી (ભાજપ) વિધાનસભા પક્ષની બેઠકમાં હાલના ધારાસભ્યોમાંથી એક ધારાસભ્ય પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવશે.
રાજીનામાનું મુખ્ય કારણ બંધારણીય સંકટ હતું
દિલ્હીથી દહેરાદૂન સુધી દિવસભર ચાલેલી બેઠકો અને સભાઓ બાદ રાવતે (State Chief Minister Tirath Singh Rawat)શુક્રવારે બપોરે લગભગ 11.30 વાગ્યે તેમના વરિષ્ઠ મંત્રીમંડળના સાથીદારો સાથે રાજ્યપાલને રાજીનામું આપ્યું હતું. રાજીનામું આપ્યા બાદ મુખ્યપ્રધાન રાવતે પત્રકારોને જણાવ્યું હતું કે, તેમના રાજીનામાનું મુખ્ય કારણ બંધારણીય સંકટ હતું, જેના કારણે ચૂંટણી પંચને ચૂંટણીઓ યોજવી મુશ્કેલ બની હતી.
રાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તેમના કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો
તેમણે જણાવ્યું હતું કે, બંધારણીય સંકટના સંજોગોને ધ્યાનમાં રાખીને, મેં રાજીનામું આપવું યોગ્ય માન્યું. રાવતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના તેમના કેન્દ્રીય નેતૃત્વનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેઓએ તેમને ઉચ્ચ હોદ્દા પર સેવા આપવાની તક આપી છે.
રાવતે આ વર્ષે 10 માર્ચે મુખ્યપ્રધાનનું પદ સંભાળ્યું હતું
પૌડીના લોકસભાના સભ્ય રાવતે(State Chief Minister Tirath Singh Rawat) આ વર્ષે 10 માર્ચે મુખ્યપ્રધાનનું પદ સંભાળ્યું હતું અને બંધારણીય જવાબદારી અનુસાર છ સપ્તાહની અંદર એટલે કે 10 સપ્ટેમ્બર પહેલા વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાવવાના હતા. જનપ્રતિનિધિત્વ અધિનિયમ, 1951ની કલમ 151એ મુજબ, ચૂંટણી પંચને સંસદના બન્ને ગૃહો અને રાજ્યના વિધાનસભા ગૃહોની ખાલી બેઠકો ભરવાની તારીખથી 6 મહિનાની અંદર પેટાચૂંટણી દ્વારા ભરવા માટે અધિકૃત છે. જો કે, ખાલી જગ્યા સાથે જોડાયેલા સભ્યની બાકીની મુદત એક વર્ષ કે તેથી વધુની હોય છે.