ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મુલાયમ સિંહ યાદવના રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવના આજે સૈફઈમાં સરકારી સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સીએમ યોગી તેમને અંતિમ વિદાય આપવા માટે સૈફઈ જશે.

By

Published : Oct 11, 2022, 11:24 AM IST

મુલાયમ સિંહ યાદવના રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે
મુલાયમ સિંહ યાદવના રાજ્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે

લખનઉઃસમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવના અંતિમ સંસ્કાર મંગળવારે તેમના વતન ગામ સૈફઈમાં કરવામાં આવશે. તેમને આજે રાજ્ય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવશે. જેમાં સીએમ યોગી સહિત અનેક દિગ્ગજ નેતાઓ સૈફઈમાં જશે.

સમાજવાદી પાર્ટી દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજધાની લખનૌમાં પાર્ટી હેડક્વાર્ટર લાવવાના બદલે તેમના અંતિમ સંસ્કાર સૈફઈમાં જ કરવામાં આવશે. મંગળવારે બપોરે લગભગ 3 વાગ્યે તેમને રાજ્ય સન્માન સાથે અગ્નિદાહ આપવામાં આવશે. માનવામાં આવી રહ્યું હતું કે પહેલા મુલાયમ સિંહ યાદવના મૃતદેહને એસપી હેડક્વાર્ટર લાવવામાં આવશે. પરંતુ, રાજધાની લખનૌમાં ભારે વરસાદને કારણે તેમના પાર્થિવ દેહને મેદાંતાથી સીધો સૈફઈ લઈ જવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details