સિકંદરાબાદ/નવી દિલ્હી: સ્વદેશી રીતે વિકસિત(Indigenously developed) ટ્રેન અથડામણ સુરક્ષા સિસ્ટમ 'કવચ'નું(Railway Kavach Technology) આજે સિકંદરાબાદમાં પરીક્ષણ કરવામાં આવ્યું(indian railway anti collision test today)હતું. આ પ્રસંગે કેન્દ્રીય રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ(Rail Minister Ashwini Vaishnaw) હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે જો બે ટ્રેનો એક જ ટ્રેક પર સામસામે આવી રહી છે, તો કવચ આપોઆપ તેમને સુરક્ષિત અંતરે રોકશે. તેમણે વધુમાં કહ્યું કે જો ટ્રેન લાલ સિગ્નલ તરફ આગળ વધે છે તો તે આપોઆપ ધીમી પડી જશે અને બંધ થઈ જશે. આ વર્ષે કવચ 2000 કિલોમીટર પર લગાવવામાં આવશે અને આગામી વર્ષોમાં દર વર્ષે 4000 થી 5000 કિલોમીટરનું લક્ષ્ય રાખશે. આત્મનિર્ભર ભારતનું આ ઉદાહરણ વિશ્વના વિકસિત દેશોમાં પણ નિકાસ કરવામાં આવશે.
હવે અકસ્માતથી મળશે રાહત
રેલવે દ્વારા 'કવચ'ને વિશ્વની સૌથી સસ્તી ઓટોમેટિક ટ્રેન અથડામણ સુરક્ષા સિસ્ટમ તરીકે પ્રમોટ કરવામાં આવી રહી છે. રેલ્વેને 'ઝીરો એક્સિડન્ટ'ના લક્ષ્યને હાંસલ કરવામાં મદદ કરવા માટે સ્વદેશી રીતે વિકસિત ઓટોમેટેડ ટ્રેન પ્રોટેક્શન (ATP) સિસ્ટમ વિકસાવવામાં આવી છે. કવચને એવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે જો તેને નિર્ધારિત અંતરની અંદર સમાન લાઇન પર બીજી ટ્રેનની હાજરી વિશે માહિતી મળે તો તે આપમેળે ટ્રેનને રોકશે.
રેલ પ્રધાને આપ્યું નિવેદન
વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ ડિજિટલ સિસ્ટમના કારણે, રેડ સિગ્નલને અવગણવા અથવા અન્ય કોઈ ખામી જેવી માનવીય ભૂલોને કારણે ટ્રેન આપમેળે બંધ થઈ જશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે કવચની સ્થાપના માટે ઓપરેશનલ ખર્ચ રૂપિયા 50 લાખ પ્રતિ કિલોમીટર આવશે, જ્યારે વૈશ્વિક સ્તરે આવી સુરક્ષા વ્યવસ્થાનો ખર્ચ પ્રતિ કિલોમીટર રૂપિયા 2 કરોડ જેટલો છે. રેલવે પ્રધાને અશ્વિની વૈષ્ણવ સનથનગર-શંકરપલ્લી રૂટ પર સિસ્ટમના ટ્રાયલ રનનો ભાગ બનવા સિકંદરાબાદ પહોંચ્હા હતા. રેલ્વે પ્રધાને અને રેલ્વે બોર્ડના ચેરમેન 4 માર્ચે યોજાનારી ટેસ્ટમાં ભાગ લિધો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, અમે બતાવીશું કે કેવી રીતે અથડામણ સંરક્ષણ પ્રણાલી ત્રણ પરિસ્થિતિઓમાં કામ કરે છે - એક હેડ-ઓન અથડામણ, પાછળની બાજુની અથડામણ અને ભયનો સંકેત.
કવચ સિસ્ટમનાં ફાયદાઓ
'કવચ' સિસ્ટમમાં ઉચ્ચ આવર્તન રેડિયો સંચારનો ઉપયોગ થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, કવચ SIL-4ને અનુરૂપ છે, જે કોઈપણ સુરક્ષા સિસ્ટમનું સર્વોચ્ચ સ્તર છે. એકવાર આ સિસ્ટમ દાખલ થયા પછી, પાંચ કિલોમીટરની રેન્જમાં તમામ ટ્રેનો અડીને આવેલા ટ્રેક પર ઉભી રહેલી ટ્રેનની સુરક્ષા માટે થોભશે. કવચને 160 કિમી પ્રતિ કલાકની ઝડપ માટે મંજૂરી આપવામાં આવી છે. વર્ષ 2022ના કેન્દ્રીય બજેટમાં આત્મનિર્ભર ભારત પહેલ હેઠળ 'કવચ' રેલ નેટવર્કને 2,000 કિલોમીટર સુધી લાવવાની યોજના છે. દક્ષિણ મધ્ય રેલવેના ચાલી રહેલા પ્રોજેક્ટ્સમાં અત્યાર સુધીમાં 1098 કિલોમીટરના રૂટ પર કવચ લગાવવામાં આવ્યા છે. કવચને દિલ્હી-મુંબઈ અને દિલ્હી-હાવડા રેલ માર્ગો પર પણ સ્થાપિત કરવાની યોજના છે, જેની કુલ લંબાઈ લગભગ 3000 કિલોમીટર છે.