ગુજરાત

gujarat

By

Published : Nov 3, 2022, 5:27 PM IST

ETV Bharat / bharat

પાક.માં ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગ, પૂર્વ વડાપ્રધાન થયા ઈજાગ્રસ્ત

પાકિસ્તાનામાં આવેલા વજીરાબાદમાં (imran khan shot at Wazirabad Pakistan) પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાનની કન્ટેનર રેલી પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કર્યો હતો, સ્થાનિક મીડિયા અહેવાલોએ ગુરુવારે જણાવ્યું હતું. પ્રારંભિક અહેવાલો અનુસાર, ઈમરાન ખાન હુમલામાં ઘાયલ થયા છે. વજીરાબાદ લાહોરથી લગભગ 100 કિલોમીટર ઉત્તરમાં ચેનાબ નદીના કિનારે આવેલું છે.

પાક.માં ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગ, પૂર્વ વડાપ્રધાન થયા ઈજાગ્રસ્ત
પાક.માં ઈમરાન ખાનની રેલીમાં ફાયરિંગ, પૂર્વ વડાપ્રધાન થયા ઈજાગ્રસ્ત

વજીરાબાદ: પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની (imran khan shot at Wazirabad Pakistan) રેલીમાં ગોળીબાર થયો છે. આ ફાયરિંગમાં ઈમરાન ખાન (imran khan Really Pakistan) પોતે પણ ઈજાગ્રસ્ત થયા હતા. તેમના સિવાય અન્ય 4 લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. પોલીસે આ કેસમાં એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. તે જ સમયે, ઈમરાન ખાનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની રેલીમાં ગોળીબાર થયો છે. ઈમરાન ખાનને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

રેલીમાં ધડાકા: જાણકારી માટે જણાવી દઈએ કે ઈમરાન ખાન હાલમાં પાકિસ્તાનમાં સ્વતંત્રતા માર્ચ કાઢી રહ્યા છે. તેઓ વર્તમાન સરકાર સામે સતત રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જ્યારથી ઈમરાન તોશખાના કેસમાં દોષી સાબિત થયા છે. ત્યારથી તેના તરફથી આઝાદી માર્ચ શરૂ કરવામાં આવી છે. આ ગુરુવારે તેમની સ્વતંત્રતા કૂચ પણ કાઢવામાં આવી હતી. પરંતુ આ વખતે ગોળીબાર થયો હતો જેમાં ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થયા હોવાનું કહેવાય છે. તેમના સિવાય પૂર્વ ગવર્નર ઈમરાન ઈસ્માઈલ પણ આ ફાયરિંગમાં ઈજાગ્રસ્ત થયા છે.

અપડેટ ચાલું,....

ABOUT THE AUTHOR

...view details