ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાન બિકાનેર-જોધપુર માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત, 8 ઘાયલ

રાજસ્થાન બિકાનેરના નોખા અને નાગૌર જિલ્લાના શ્રી બાલાજી ગામમાં પોલીસ સ્ટેશનના વિસ્તાર નજીક માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે. 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું કહેવાય છે.

By

Published : Aug 31, 2021, 9:38 AM IST

Updated : Aug 31, 2021, 11:01 AM IST

અકસ્માત
અકસ્માત

  • રાજસ્થાન બિકાનેર માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત
  • 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા
  • ક્રુઝર કાર અને ટ્રેલર સામસામે ટકરા સર્જાયો અકસ્માત

રાજસ્થાન (બિકાનેર): ઓવરસ્પીડ કારની સમસ્યા સડકો પર વધી રહી છે. ત્યારે મંગળવારના રોજ બિકાનેરના નોખા અને નાગૌર જિલ્લાના શ્રી બાલાજી ગામ વચ્ચે બાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા માર્ગ અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ, બિકાનેર-જોધપુર હાઇવે પર નોખા નાગૌર વચ્ચે આવેલા શ્રી બાલાજી ગામ નજીક ક્રુઝર કાર અને ટ્રેલર સામસામે ટકરાયા હતા.

આ પણ વાંચો: બેંગલુરુમાં ભયાનક કાર અકસ્માતમાં 7ના મોત, કાર ઇલેક્ટ્રિક પોલ સાથે અથડાતા બની દુર્ઘટના

અથડામણમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત

અથડામણમાં 8 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ત્રણ લોકો હોસ્પિટલ જતા રસ્તામાં મૃત્યુ પામ્યા હતા. 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું જણવવામાં આવી રહ્યું છે, જેમને નોખા અને બિકાનેરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ, ક્રુઝરમાં સવાર તમામ મધ્યપ્રદેશના સજ્જનખેડવ દૌલતપુરના રહેવાસી છે. જિલ્લા નોખા નાગૌરની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલ્યા છે.

આ પણ વાંચો:ઝૂંપડપટ્ટીમાં સુઈ રહેલા લોકો પર ફરી વળ્યો ટ્રક , 8 વર્ષની બાળકી સહિત 8ના મોતથી અરેરાટી

Last Updated : Aug 31, 2021, 11:01 AM IST

ABOUT THE AUTHOR

...view details