ગુજરાત

gujarat

By

Published : Jul 13, 2022, 4:47 PM IST

ETV Bharat / bharat

નીટની પરીક્ષા સ્થગિત થશે? બે વર્ષની વિદ્યાર્થીઓની આ માંગ પર કોર્ટનો કાલે ચૂકાદો

NEET UG પરીક્ષા મોકૂફ (NEET UG Exam Postpone) રાખવાની માંગ કરતી અરજી હાઇકોર્ટમાં (Delhi High Court) દાખલ કરવામાં આવી છે. દિલ્હી હાઈકોર્ટ આ મામલે 14 જુલાઈએ સુનાવણી કરશે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે NEET-UGની પરીક્ષા CUETની પરીક્ષા સાથે આવી રહી છે.

નીટની પરીક્ષા સ્થગિત થશે? બે વર્ષની વિદ્યાર્થીઓની આ માંગ પર હાઈકોર્ટનો આવતીકાલે ચૂકાદો
નીટની પરીક્ષા સ્થગિત થશે? બે વર્ષની વિદ્યાર્થીઓની આ માંગ પર હાઈકોર્ટનો આવતીકાલે ચૂકાદો

નવી દિલ્હી:દિલ્હી હાઈકોર્ટ આવતીકાલે 17 જુલાઈએ યોજાનારી NEET-UG પરીક્ષાને મોકૂફ (NEET UG Exam Postpone) રાખવાની અરજી પર સુનાવણી (Delhi High Court) કરશે. અરજદાર વતી, મુખ્ય ન્યાયાધીશ સતીશ ચંદ્ર શર્માની અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ ઉલ્લેખ કરતી વખતે, અરજી પર વહેલી સુનાવણીની માંગ (NEET UG Exam Hiring Case) કરવામાં આવી છે. આ પછી કોર્ટે આ અરજી પર આવતીકાલે એટલે કે 14 જુલાઈએ સુનાવણી (Demand to rescheduled NEET) કરવાનો આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃરસ્તા પર માછલીઓની નદી વહેવા લાગી, જૂઓ વીડિયો...

શું છે અરજીઃઅરજીમાં કહેવામાં આવ્યું છે કે NEET-UGની પરીક્ષા CUETની પરીક્ષા સાથે આવી રહી છે. CUETની પરીક્ષા 15મી જુલાઈથી શરૂ થઈ રહી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ તેની સત્તાવાર નોટીસમાં કહ્યું હતું કે CUET પરીક્ષાનું સમયપત્રક તૈયાર કરતી વખતે NEET-UGનું ધ્યાન રાખવામાં આવશે. પરંતુ NEET-UG પરીક્ષા તારીખ 17 જુલાઈના રોજ યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓ છેલ્લા 2 મહિનાથી આ પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરી રહ્યા હતા અને હવે તેઓએ દિલ્હી હાઈકોર્ટની મદદ માંગી છે. આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓની નજર હવે દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર ટકેલી છે. આવતીકાલે તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ થઈ જશે કે પરીક્ષા મુલતવી રાખવામાં આવશે કે નહીં.

આ પણ વાંચોઃકોલકાતા તાલા પાર્કમાં શિવ મંદિર માટે લોકોએ વસુધૈવ કુટુમ્બકમને માન આપી કર્યો જીર્ણોદ્ધાર

કોણ છે મમતા શર્માઃઆ અરજી એડવોકેટ મમતા શર્માએ દાખલ કરી છે. અરજીમાં વિદ્યાર્થીઓની ફરિયાદના આધારે કોર્ટમાં પરીક્ષા સ્થગિત કરવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ઘણા વિદ્યાર્થીઓના પરીક્ષા કેન્દ્રો 150-300 કિલોમીટર દૂર છે. પૂરના કારણે ઘણા રાજ્યોમાં તબાહી મચી છે, તેથી આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, આ વર્ષે બે વાર NEET લેવામાં આવે. જેને લઈને દિલ્હી હાઈકોર્ટ કોઈ મોટો ચૂકાદો આપી શકે છે.

ABOUT THE AUTHOR

...view details