વારાણસી:જ્ઞાનવાપી પરિસરમાં (Gyanvapi controversy) આવેલા વજુખાનામાં સ્થિત શિવલીંગને લઈને દરરોજ નવા નવા મુદ્દાઓ સામે આવે છે. કોર્ટમાં મામલો પહોંચ્યા બાદ સંત સમુદાય તરફથી અહીં (Gyanvapi mosque) અભિષેક કરવાનું એલાન કરવામાં આવ્યું છે. શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતિના શિષ્ય અવિમુક્તેશ્વર સરસ્વતિએ (Avimukeshwar Sarasvati) પરિસરમાં જઈ અભિષેક કરવા એલાન કર્યું છે. આ પછી તંત્રએ એમને અટકાવ્યા હતા. જેના કારણે તેઓ પોતાના મઠના દ્વાર ઉપર જ ધરણા પર બેસી ગયા છે. બે કલાકથી વધારે સમય પસાર થઈ ગયો છે. છતાં એમને ધરણા ખતમ થયા નથી. અનશન યથાવત રહ્યા છે.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં એન્કાઉન્ટરમાં હિઝબુલ કમાન્ડર માર્યો ગયો, AK 47 થઇ બરામત
શું કહે છે મુનિ: અવિમુક્તેશ્વર સ્વામીનું એવું કહેવું છે કે, જ્યાં સુધી મને કોઈ રીતે પૂજા કરી લેવા દેવામાં નહીં આવે ત્યાં સુધી અનશન યથાવત રહેશે. હું કોઈ અન્ન જળ પણ ગ્રહણ નહીં કરૂ. પૂજા પાઠના અધિકારને લઈને કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે. જે અંગે હજું કોઈ સ્પષ્ટતા થઈ નથી. સૂર્યાસ્ત પહેલા સ્વામી અવિમુક્તેશ્વર સરસ્વતિએ તે શિવલીંગ હોવાના સંકેત આપ્યા હતા. એટલું જ નહીં એની પૂજા કરવા અંગે એલાન કર્યું. જે માટે તેમણે એક તસવીર પણ દેખાડી છે. આ તસવીર દેખાડતા તેમણે કહ્યું કે, પૂજન કર્યા બાદ પણ અનશન તો યથાવત જ રહેશે. જ્યારે શિવલીંગની પૂજાઓ અધિકાર મળશે ત્યારે જ અન્ન જળ ગ્રહણ કરશે.