ગુજરાત

gujarat

By

Published : Apr 24, 2021, 9:00 AM IST

Updated : Apr 24, 2021, 12:33 PM IST

ETV Bharat / bharat

ઉત્તરાખંડમાં BRO કેમ્પ હિમપ્રપાતની ઝપેટમાં, 384 મજૂરોને બચાવાયા, 8 મૃતદેહ મળ્યા

શુક્રવારે ઉત્તરાખંડમાં BRO કેમ્પમાં હિમપ્રપાત થયો છે. જેમાં ફસાયેલા 384 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જેમાંથી 6ની હાલત ગંભીર છે. સાથે જ 8 મૃતદેહો મળી આવ્યા છે.

Glacier
Glacier

  • ચમોલી જિલ્લામાં મલેરી- સુમના રોડ પર પર ગ્લેશિયર તૂટી પડ્યો
  • BROના કમાન્ડર કર્નલ મનીષ કપિલે આ વાતની પુષ્ટિ કરી
  • કર્નલ કપિલે પરિસ્થિતિનો હિસ્સો લેવા ટીમો મોકલી

ચમોલી: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ભારત- ચીન સરહદ વિસ્તારની નજીક આવેલા સુમનામાં બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (BRO) કેમ્પ પાસે આવેલા મલેરી- સુમના રોડ પર પર ગ્લેશિયર તૂટી પડ્યો હતો. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના કમાન્ડર કર્નલ મનીષ કપિલે આ વાતની પુષ્ટિ કરી છે. કર્નલ કપિલે પરિસ્થિતિનો હિસ્સો લેવા ટીમો મોકલી છે. ભારતીય સેના અહીં સતત બચાવ કામગીરી ચલાવી રહી છે. અત્યાર સુધીમાં 384 લોકોને બચાવવામાં આવ્યા છે, જેમાંથી 6ની હાલત ગંભીર છે. તો સાથે જ 8 મૃતદેહો મળી આવ્યા છે.

અમિત શાહે પણ ગ્લેશિયર તૂટવાની માહિતીની તાત્કાલિક નોંધ લીધી

આ ઘટનાની મળતી માહિતી મુજબ, BRO કામદારો જ્યાં આ ઘટના બની છે, ત્યાં નજીક માર્ગ બાંધકામના કામમાં રોકાયેલા હતા. અતિશય હિમવર્ષાના કારણે સરહદ વિસ્તારમાં વાયરલેસ સેટ પણ કામ કરી રહ્યા નથી. DGP અશોક કુમારે જણાવ્યું છે કે, આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ ખરાબ હવામાનને કારણે ચોક્કસ પરિસ્થિતિ જાણી શકાઈ નથી. ટીમોને પરિસ્થિતિનો તાગ મેળવવા રવાના કરવામાં આવી છે. ITBPના જવાન સલામત છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ નીતિ ખીણની સુમનામાં ગ્લેશિયર તૂટવાની માહિતીની તાત્કાલિક નોંધ લીધી છે. આ ઘટનાને ગંભીરતાથી લઈ તેમણે ઉત્તરાખંડને સંપૂર્ણ મદદની ખાતરી આપી છે અને ITBPને જાગ્રત રહેવાની સૂચના આપી છે.

આ પણ વાંચો :ચમોલી દુર્ઘટનાઃ 5 દિવસ બાદ ટનલમાંથી આવ્યો ફોન, હેલો કહ્યાં બાદ...

ઋષિકેશ પોલીસે ત્રિવેણી ઘાટની સાથે ગંગાના કાંઠે આવેલા તમામ ઘાટ ખાલી કરાવ્યા

બીજી તરફ, ચમોલીના પોલીસ અધિક્ષક યશવંતસિંહ ચૌહાણે આવી કોઈ પણ ઘટનાની સૂચના તેમને મળી નથી તેમ જણાવ્યું છે. બીજી તરફ ગ્લેશિયર તૂટવાની બાતમી સાથે ઋષિકેશ પોલીસે ત્રિવેણી ઘાટની સાથે ગંગાના કાંઠે આવેલા તમામ ઘાટ ખાલી કરાવ્યા છે. માહિતી મળ્યા બાદ પોલીસ કોઈ પણ પ્રકારની કટાક્ષ કરી રહી નથી. જળ પોલીસ કર્મચારીઓ ઘાટ પર સતત નજર રાખી રહ્યા છે. ઋષિકેશ પોલીસે એલર્ટ જારી કરીને બધાને ગંગા ઘાટ અથવા આસ્થ પાથ તરફ ન જવા જણાવ્યું હતું.

ટ્વિટ

આ પણ વાંચો :ઉત્તરાખંડ ગ્લેશિયર દુર્ઘટના: મૃત્યુઆંક વધીને 36, 204 લોકો લાપતા

હિમવર્ષાથી આર્મી અને ITBP વાહનોની અવરજવર પણ અવરોધિત થઈ

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ દિવસથી નીતિ ખીણમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. મલેરીથી આગળ જોશીમઠ- મલારી હાઇવે પણ બરફથી ઢંકાયેલો છે. જેનાથી આર્મી અને ITBP વાહનોની અવરજવર પણ અવરોધિત થઈ છે.

હિમપ્રપાતની ઘટના અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું છે : તીરથસિંહ રાવત

ઉત્તરાખંડના મુખ્યપ્રધાન તીરથસિંહ રાવતે શુક્રવારે ટ્વિટ કર્યું હતું કે, હિમપ્રપાતની ઘટના અંગે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હિમપ્રપાતની માહિતી મળ્યા બાદ બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશનના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ત્યાં બચાવ કામગીરી શરૂ કરી હતી.

ટ્વિટ
Last Updated : Apr 24, 2021, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details